બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા પછી મફત સારવાર મળે? જાણો નિયમો

ફાયદાની વાત / આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા પછી મફત સારવાર મળે? જાણો નિયમો

Chintan Chavda

Last Updated: 08:25 PM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayushman Bharat Yojana Limit Crossed: ઘણી વખત લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે જો આયુષ્માન ભારત યોજના હેઠળ કોઈની મફત સારવારની મર્યાદા પૂરી થઈ જાય. તો સારવાર કેવી રીતે કરવામાં આવે છે. જવાબ જાણો.

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને ઘણા લોકો આ યોજનાઓનો લાભ પણ લે છે. એમાંથી એક છે કે આયુષ્માન ભારત યોજના. લોકોને ફ્રીમાં મેડિકલ સર્વિસ મળે તેના માટે ભારત સરકારે 2018માં આ યોજનાની શરૂઆત કરી હતી અને બાદમાં આ યોજનાનું નામ જન આરોગ્ય યોજના કરી દેવામાં આવ્યું હતું.

ayushman-card

આ યોજનાના લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ મળે છે અને આ ઈન્શ્યોરન્સ દ્વારા તે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી શકે છે. જે લોકો આ યોજનાનો લાભ લે છે એમને એક આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડને હોસ્પિટલમાં આપીને લાભાર્થી પોતાની સારવાર કરાવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે આ યોજના અને આયુષ્માન કાર્ડમાં ફ્રી ઈલાજની લિમિટ પૂરી થયા બાદ કેવી રીતે મફતમાં સારવાર લઈ શકાય છે.. કે પછી મફતમાં સારવાર નથી મળતી.. તો ચાલો આના વિશે જાણીએ..

આની માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે. જો તમે સારવાર કરાવી રહ્યા છો અને આ દરીયાન તમારી લિમિટ પૂરી થઇ જાય છે તો પછી એવામાં હોસ્પિટલ મેનેજમેન્ટ હેલ્થ વિભાગ પાસે એક્સ્ટ્રા સપોર્ટના આધારે સારવાર કંટીન્યુ કરવાની પરમિશન માંગે છે.

app promo5

આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં, રાજ્ય સરકારો પોતાના સ્તરે એક્સ્ટ્રા ફંડિંગ આપે છે. માની લો કે જો કોઈને ગંભીર બીમારી છે અને આયુષ્માન યોજના હેઠળ સારવારની લિમિટ ક્રોસ થઈ ગઈ છે. તો તે રાજ્ય આરોગ્ય યોજના હેઠળ સારવાર મેળવી શકે છે.

જોકે આની માટે દર્દીને પહેલા અરજી કરવાની હોય છે અને તેની બીમારીની મેડીકલ રીપોર્ટના આધારે જ તેને મદદ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ રાજ્ય કોઈ રાજ્યમાં આ સુવિધા ઉપલબ્ધ નથી તો પછી સારવાર મળી શકતી નથી.

વધુ વાંચો:ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈમાં આ તારીખે ખુલશે, એલન મસ્ક લોન્ચ કરશે પહેલી ઈલેક્ટ્રિક કાર

આ સિવાય વાત કરીએ તો અમુક હોસ્પિટલોમાં દર્દીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેલ્થ ફંડથી પણ મદદ મળે છે. પરંતુ આની માટે એક આખી પ્રોસેસ હેઠળ અરજી કરવાની રહે છે અને અપ્રુવલ મળ્યા બાદ જ સારવાર થઇ શકે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Utility News Free Treatment Ayushman Bharat Yojana
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ