ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય રેલવેનું મોટું એલાન, હવે તત્કાલનો નિયમ રિઝર્વેશન ટિકિટ પર લગાવ્યો, તારીખ જાહેર
Last Updated: 07:28 PM, 15 September 2025
ADVERTISEMENT
Railway Tickets Online Booking : ગુજરાત સહિત દેશભરમાં ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જોકે હવે ભારતીય રેલ્વેએ મુસાફરો માટે એક મોટા ફેરફારની જાહેરાત કરી છે. 1 ઓક્ટોબર, 2025થી હવે રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક નવા નિયમનો અમલ થવાનું છે જે ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.
ADVERTISEMENT
ટિકિટ બુકિંગની શરૂઆતમાં ફક્ત આધાર-વેરિફાઇડ યાત્રિકો માટે પહોંચ
નવા નિયમ અનુસાર કોઈપણ ટ્રેન માટે રિઝર્વેશન ખુલ્યા પછીની પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરી શકશે. આ પગલું ખાસ કરીને એજન્ટો અને દલાલો દ્વારા થતી ટિકિટ બ્લોકિંગ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે લેવામાં આવ્યું છે. હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ માટે લાગુ છે પણ હવે તે સામાન્ય રિઝર્વેશન માટે પણ લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
➡️From October 1, #Aadhaar Authentication Mandatory for Booking General Reserved Tickets Online via IRCTC Website/App During First 15 Minutes to Benefit Common End User and Prevent Misuse by Unscrupulous Elements
— PIB India (@PIB_India) September 15, 2025
➡️No Change in Booking Timings of General Reserved Tickets at…
જનરલ રિઝર્વ્ડ ટિકિટ માટે પણ લાગુ થશે નિયમ
ADVERTISEMENT
રેલવે અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે, હવે રિઝર્વ્ડ જનરલ ટિકિટ માટે પણ આ નિયમ લાગુ રહેશે. એટલે કે, પ્રથમ 15 મિનિટમાં આધાર વિના યાત્રિકો ટિકિટ બુક કરી શકશે નહીં. આ નિયમ માત્ર IRCTC ના ડિજિટલ પ્લેટફોર્મ પર લાગુ હશે. એટલે કે વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન.
કાઉન્ટર બુકિંગ પર કોઈ અસર નહીં
ADVERTISEMENT
મહત્વપૂર્ણ વાત એ છે કે, કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન કાઉન્ટરથી ટિકિટ ખરીદવામાં ઈચ્છુક યાત્રિકો માટે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તેઓ માટે હાલના નિયમો જ ચાલુ રહેશે. અધિકૃત ટિકિટિંગ એજન્ટો માટે પહેલેથી અમલમાં રહેલી 10 મિનિટની પ્રતિબંધ યોજના પણ યથાવત્ રહેશે.
ટેકનિકલ અમલ માટે CRIS અને IRCTC ને સૂચના
ADVERTISEMENT
આ ફેરફારને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે રેલવેના ટેક્નિકલ ભાગ CRIS (Center for Railway Information Systems) અને IRCTC ને જરૂરી ટેકનિકલ સુધારા કરવા કહેવામાં આવ્યા છે. સાથે જ ઝોનલ રેલવેઓને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે નિયમનુ પાલન સુનિશ્ચિત કરે.

ADVERTISEMENT
સાચા મુસાફરોને પ્રાથમિકતા
રેલવેના મતે આ પગલાથી ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે અને સામાન્ય યાત્રિકોને ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે. દલાલો દ્વારા થતી ટિકિટ બ્લોકિંગ અટકી જશે જે ખાસ કરીને તહેવારો અને ઊંચા ટ્રાફિકના દિવસોમાં એક મોટો મુદ્દો બનતો હતો.
આ પણ વાંચો : WhatsAppથી મિનિટોમાં જ બુક થઇ જશે LPG સિલિન્ડર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
હવે જાણો નવા નિયમના ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ