બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:45 PM, 6 August 2025
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક પગલાં લીધા છે. આજે ટ્રમ્પે એક ખાસ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને ભારતથી અમેરિકા આવતા તમામ માલસામાન પર 25% નો વધારાનો ટેરિફ લાદ્યો છે. આ નવા ટેરિફને કારણે ભારતમાંથી નિકાસ થતી ઘણી ચીજવસ્તુઓ પર કુલ ડ્યુટી હવે 50% સુધી પહોંચી જશે.
ADVERTISEMENT
રશિયન તેલની ખરીદી ચાલુ
ટ્રમ્પે આ અચાનક અને કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ચાલુ રાખવાનું જણાવ્યું છે. આ નિર્ણયથી ભારતના અર્થતંત્ર અને નિકાસ ઉદ્યોગ પર મોટી અસર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ભારતના કયા ઉદ્યોગોને થશે અસર?
કાપડ અને તૈયાર વસ્ત્રો: અમેરિકા ભારતીય કપડાં માટે એક મોટું બજાર છે. આ ટેરિફથી ભારતીય કાપડ ઉદ્યોગ પર ગંભીર અસર થશે અને તેની નિકાસમાં ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
ઝવેરાત અને રત્નો: ભારતના હીરા અને સોનાના ઝવેરાતની નિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડશે, જેનાથી આ ક્ષેત્રના વેપારીઓ માટે મુશ્કેલી વધશે.
એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ: ભારતમાંથી નિકાસ થતા ઓટો પાર્ટ્સ અને મશીનરી સામાન પણ મોંઘા થશે, જેનાથી અમેરિકાના બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ઘટશે.
ADVERTISEMENT
મસાલા અને કૃષિ ઉત્પાદનો: ભારતીય મસાલા અને અન્ય કૃષિ ઉત્પાદનોના નિકાસકારોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
લાખો નોકરીઓ જોખમમાં
ADVERTISEMENT
નિકાસમાં ઘટાડો થવાથી તેની સીધી અસર આ માલસામાનનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને કંપનીઓ પર પડશે. જેના પરિણામે, લાખો નોકરીઓ પણ જોખમમાં મુકાઈ શકે છે.
આ નિર્ણય પાછળનું કારણ શું છે?
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશનું કારણ ભારત દ્વારા રશિયા પાસેથી સતત થઈ રહેલી તેલની ખરીદી ગણાવ્યું છે. અગાઉ પણ અમેરિકાએ આ જ મુદ્દે ભારત પર 25% ટેરિફ અને દંડની જાહેરાત કરી હતી અને હવે તેમાં વધુ 25% નો વધારો કરવામાં આવ્યો છે.
વધુ વાંચો: 'ન્યૂડ કરીને...' ઓફિસર પતિએ એવું કર્યું કે મધુએ આપી દીધો જીવ, પછી ગર્લફ્રેન્ડ સાથે કરી અય્યાશી
ટેરિફ ક્યારથી લાગુ થશે?
ટ્રમ્પે સહી કરેલા આ આદેશ અનુસાર આ નવા ટેરિફ 27 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. આ તારીખ પછી અમેરિકા મોકલવામાં આવતા તમામ ભારતીય માલસામાન પર આ ડ્યુટી લાગુ થશે. જોકે જે માલસામાન આ તારીખ પહેલા રવાના થયો હોય અને 17 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પહોંચી જાય તેને આ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. આ વધારાનો ટેરિફ અન્ય તમામ ડ્યુટી અને કર ઉપરાંત હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.