બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ન્યૂડ કરીને...' ઓફિસર પતિએ એવું કર્યું કે મધુએ આપી દીધો જીવ, પછી ગર્લફ્રેન્ડ સાથે કરી અય્યાશી

રહસ્ય / 'ન્યૂડ કરીને...' ઓફિસર પતિએ એવું કર્યું કે મધુએ આપી દીધો જીવ, પછી ગર્લફ્રેન્ડ સાથે કરી અય્યાશી

Published By: Nidhi Panchal

Last Updated: 03:21 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌમાં મર્ચન્ટ નેવી ઓફિસરની પત્ની મધુ સિંહનું રહસ્યમય મોત ચર્ચાનો વિષય બન્યું છે. પરિવારજનોએ આ ઘટનાને આત્મહત્યા નહિ, પણ હત્યા ગણાવી છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ભયાનક ઘટના સામે આવી છે જ્યાં મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતા અનુરાગ સિંહની પત્ની મધુ સિંહનો મૃતદેહ તેમના વૈભવી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફાંસીના ફંદા પર લટકતો મળ્યો હતો. આ ઘટના અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જો કે મધુના પરિવારજનો આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી રહ્યા છે. પરિવારજનોના ગંભીર આરોપોને આધારે પોલીસ દ્વારા અનુરાગ સિંહની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

madhu

મધુની મોટી બહેન પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે અનુરાગ સિંહ mentally unstable હતો અને તેનું મઘુ સાથે વર્તન હિંસક અને અત્યાચાર વાળુ હતું. જેના અનુસાર, અનુરાગ નાના નાના કારણોથી મધુ પર હિંસા કરતો હતો, તેને દારૂ પીવડાવતો અને તેના પરિવાર અને મિત્રો સાથેના સંબંધ તોડી નાખવા પણ દબાણ કરતો હતો. મધુના પરિવારનું એવું પણ કહેવું છે કે અનુરાગે લગ્ન સમયે 15 લાખ રૂપિયા અને અન્ય મોંઘી ભેટોની માગણી કરી હતી, જેને મધુના પિતાએ પોતાની ક્ષમતા કરતાં વધારે આપવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં અનુરાગની લાલચ વધતી ગઇ હતી.

ફેબ્રુઆરીમાં થયા હતા લગ્ન

આ વર્ષે ફેબ્રુઆરીમાં બંનેના લગ્ન મેટ્રિમોનિયલ સાઇટથી થયા હતા, પરંતુ લગ્નના 15 દિવસ પછીથી જ મધુ સાથે હિંસાની ઘટનાઓ શરૂ થઈ હતી. મધુએ 10 માર્ચે એની સાથે થયેલા હિંસાના હુમલા પછી તેના મામાના ઘરે જઈ રડી રડીને પોતાની બહેનને બધું જણાવ્યું હતું.

madhu-3

હત્યાના દિવસે શું થયું હતું?

મધુની જે દિવસે હત્યા થઇ હતી તે દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને લગભગ 10:30 વાગ્યે બંને ફ્લેટમાં પાછા આવ્યા હતા. ગાર્ડના જણાવ્યા અનુસાર, ઘરમાં ઝઘડા સામાન્ય થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, અનુરાગે હત્યાના આગલા દિવસે નોકરાણીને મેસેજ કરીને ન આવવાનું કહ્યું હતું અને રાત્રે 10:30 વાગ્યે ઓનલાઈન ફુડ પણ ઓર્ડર કર્યો હતો.

app promo2

મધુની હત્યાની જાણ ક્યારે કરી

ચોંકાવનારી વાત એ છે કે અનુરાગે સૌથી પહેલા ગાર્ડને કહ્યું કે મધુએ આત્મહત્યા કરી છે અને પછી પોતે જ મૃતદેહને ફાંસી પરથી ઉતારી દીધો હતો. ત્યારબાદ અનુરાગે રાત્રે 12 વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરી અને મધુના પરિવારને સવારે 5 વાગ્યે જાણ કરી હતી. વધુમાં, મધુએ તેના પરિવારને જણાવ્યું હતું કે અનુરાગ પોતાની X ગર્લફ્રેન્ડ સાથે વધુ સંપર્કમાં રહે છે. સાથે મધુએ તેના ચેટ્સના સ્ક્રીનશૉટ્સ પણ મોકલ્યા હતા.

આ પણ વાંચો : 'પપ્પાને કહેતી કોલ સેન્ટરમાં નોકરી છે, રાતે 10 ગ્રાહકોને ખુશ કરતી', બોલી 16 વર્ષની છોકરી

મધુ એક ખુશમિજાજ છોકરી હતી, પરંતુ અનુરાગના હંસાથી તે એકલી જીવન જીવવા મજબૂર બની હતી. હાલમાં અનુરાગ પોલીસ કસ્ટડીમાં છે અને પુછપરછ દરમિયાન પણ સિગારેટ માંગતા જોવા મળ્યો છે. તેણે પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ સ્પષ્ટ કારણ આપી શક્યો નથી. આ સમગ્ર મામલો હવે ગંભીર બન્યો છે. પોલીસ આ કેસમાં હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ કરી રહી છે જેથી મધુને ન્યાય મળી શકે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lucknow mystery Merchant Navy officer Madhu Singh, Madhu Singh

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ