બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / two adenovirus deaths over the last one week in kolkata
કલકત્તામાં આજકાલ એક ગંભીર સંક્રામક રોગની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાછલા એક અઠવાડિયામાં આ એડેનોવાયરસ સંક્રમણના કારણે બે મોત થઈ છે. એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે જણાવ્યું કે એક બાળકની સંક્રમણના કારણે શુક્રવારે રાત્રે મોત થઈ ગયું જ્યારે એક અઠવાડિયા પહેલા અન્ય એક બાળકનું સંક્રમણથી મોત થયું હતું.
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું કે જે બાળકનું હાલ મોત થયું છે તેને અન્ય બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યું હતું. પરંતુ સારવાર વખતે તે એડેનોવાયરસથી સંક્રમિત થઈ ગયો. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે હાલ કલકત્તાના પાર્ક સર્કસ હોસ્પિટલમાં કોઈ અન્ય બાળકનું એડેનોવાયરસ સંક્રમણ માટે સારવાર નથી ચાલી રહી.
કલકત્તામાં રિપોર્ટ કરવામાં આવી રહેલા આ સંક્રામક રોગને લઈને સ્વાસ્થ્ય વિષ્ણાંતોએ બધા લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. આવો જાણીએ આખરે એડેનોવાયરસ શું છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
ADVERTISEMENT
એડેનોવાયરસ અને તેના કારણે થતી સમસ્યા
એડેનોવાયરસ એક સામાન્ય વાયરસ છે જે શરદી કે ફ્લૂ જેવી સમસ્યાના કારણે થાય છે. સંશોધકોએ લગભગ 50 પ્રકારના એડેનોવાયરસની ઓળખ કરી છે જે મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. એડેનોવાયરસ સંક્રમણ આખા વર્ષમાં ગમેત્યારે થઈ શકે છે. પરંતુ શિયાળામાં અને વસંતની શરૂઆતમાં તેના કેસ વધારે જોવા મળે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે એડેનોવાયરસ આમ તો બધી ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે. પરંતુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તેના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. શિશુ અને બાળકો મોંઢામાં કોઈ પણ વસ્તુ નાખે છે અને તેમનામાં સ્વચ્છતાની સમસ્યા પણ વધારે હોય છે. જેના કારણે સંક્રામક રોગ થવાનું જોખમ વધી જાય છે.
ADVERTISEMENT

એડેનોવાયરસ સંક્રમણના લક્ષણ
સંશોધક જણાવે છે કે એડેનોવાયરસ સંક્રમણના લક્ષણ એ વાત પર નિર્ભર કરે છે કે વાયરસ તમારા શરીરના કેયા ભાગને સંક્રમિત કરે છે. મોટાભાગના કેસમાં વાયરસ સૌથી વધારે શ્વસન તંત્રને સંક્રમિત કરે છે. તેના કારણે સામાન્ય શરદી કે ફ્લૂ જેવા લક્ષણ થઈ શકે છે. સંક્રમિતોમાં ખાંસી તાવ, નાક વહેવી, ગળામાં ખંજવાડ, કંજેક્ટિવાઈટિસ, કાનમાં સંક્રમણ અને ન્યૂમોનિયા થઈ શકે છે.
ADVERTISEMENT
એડેનોવાયરસ તમારા ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈલ ટ્રેકને પણ પ્રભાવિત કરી શકે છે જેના કારણે પેટમાં દુખાવો, દસ્ત, ઉલ્ટી થઈ શકે છે. અમુક સ્થિતિઓમાં એડેનોવાયરસ તમારા મૂત્રાશયની તંત્રિકાને પણ પ્રભાવિત કરી શકે છે.

ADVERTISEMENT
એડેનોવાયરસથી કેવી રીતે બચશો?
બાળકો મોટાભાગે થોડા જ દિવસોમાં બીમારીથી પોતાની જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ સંક્રમણના અમુક લક્ષણ જેવા કે આંખોનું સંક્રમણ કે નિમોનિયા એક અઠવાડિયા કે તેનાથી વધારે સમય સુધી રહી શકે છે. કમજોર રોગપ્રતિકારક વાળા બાળકોને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી શકે છે.
વધુ વંચો: મોટા નુકસાનથી બચવા ઉનાળામાં કારનું ફ્યૂઅલ ટેન્ક ક્યારેય પણ ફૂલ ન કરાવો, જાણો કારણ
બાળકને એવા કોઈ પણ વ્યક્તિથી દૂર રાખો જેને એડેનોવાયરસ સંક્રમણ છે. હાથોની સ્વચ્છતાનું ધ્યાન રાખો. બાળકોના હાથ ધોતા રહેવું. સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયત્ન કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.