મહિલાઓની સુંદરતામાં ચહેરાનું મહત્વ કંઈક વધારે જ હોય છે, તેઓ પોતાના ચહેરાને સુંદર રાખવા માટે અનેક પ્રયત્નો કરતી રહે છે. આ માટે મોંઘી ક્રીમને બદલે જો તમે આ 1 ઘરેલૂ ઉપાય અજમાવશો તો તમે સારું રીઝલ્ટ મેળવી શકશો. ઘરમાં રહેલા નારિયેળ તેલને આ રીતે ચહેરા પર યૂઝ કરવાથી કરચલીઓમાંથી ઝડપથી રાહત મળે છે.
ચહેરાની કરચલીઓને ઘટાડશે 1 ચીજ
નારિયેળ તેલનો કરી લો ઉપયોગ
આ રીતે ઘટાડો ચહેરા પરની કરચલીઓ ચપટીમાં
આ રીતે કરો નારિયેળ તેલનો ઉપયોગ
રાતે સૂતા પહેલાં સૌ પહેલાં ચહેરો ઠંડા પાણીથી ધો લો. હવે તેને હળવા હાથે લૂછી લો. હવે પ્રોસેસ વિનાના એટલે કે વર્જીન નારિયેળ તેલના કેટલાક ટીપાં લઈને ફેસ પર 10 મિનિટ મસાજ કરો.
નારિયેળ તેલ અને મધ
મધ એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તે ત્વચાને આંતરિક રીતે સુંદર અને બહારથી ચમકીલી બનાવે છે. નારિયેળ તેલ સાથે મધ મિક્સ કરીને મસાજ કરવાથી સ્કીન સ્મૂધ બને છે. થોડો સમય મસાજ કર્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી લાભ થાય છે.
નારિયેળ તેલ અને હળદર
હળદર ઉબટનનું કામ કરે છે. હળદર અને નારિયેળ તેલને મિક્સ કરીને ચહેરા અને ડોક પર લગાવો. અડધા કલાક બાદ તે સૂકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમે જાતે જ પરિણામ જોઈ શકશો.
નારિયેળ તેલમાં મિક્સ કરો દિવેલ
આ બંને વસ્તુને મિક્સ કરીને 10 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરવાથી સ્કીન પર ચમક આવે છે અને સાથે જ સ્કીનની કરચલીઓ દૂર થાય છે. રોજ આ રીતે મસાજ કરવાથી ઝડપથી તમને પરિણામ જોવા મળશે.