બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જોકે હવાના પ્રદુષણની સૌથી પહેલી અસર આપણા ફેફસા પર થાય છે. પ્રદુષિત હવાથી બચી ન શકાય તો કેટલાક એવા ઉપાયો છે જેનાથી ફેફસાને કલિન કરવામાં અને પ્રદુષણની માઠી અસરથી ફેફસાને બચાવામાં મદદ મળે છે.કેટલાક દિવસોમાં પ્રદુષણ એટલું વધારે હોય છે જયારે એક સાથે અનેક સિગારેટ પીધી હોય એટલી પ્રદુષિત હવા આપણા ફેફસામાં જાય છે. ફેફસાને કલિન કરવા માટે સ્ટિમ થેરાપી બહુ ઉપયોગી છે.
નાસ લેવાથી થાય છે ફાયદો
ADVERTISEMENT
જેને આપણે નાસ લેવો કહીએ છીએ. સામાન્ય રીતે શરદી થાય અને નાક બંઘ થાય ત્યારે પાણીની વરાળનો નાસ લેવાની ડોકટર સલાહ આપે છે. પરંતુ હવામાં પ્રદુષણ વધારે હોય ત્યારે નાસ લેવાથી ફેફસામાં ફાસાયેલા કણો નીકળી જાય છે અને શ્વાસ લેવાનું આસાન બને છે. ફેફસાનો હવા લઇ જતો માર્ગ પણ વધુ ખુલ્લો થાય છે.
ADVERTISEMENT
ગ્રીન ટી છે ઉપયોગી
પ્રદુષિત વાતાવરણમાં થોડો કફ હોય તો તે સારી બાબત છે કેમકે કફની સાથે નાક અને શરીરના પ્રદુષિત કણો બહાર ફેંકાય છે.તેથી સાવ ડ્રાય કફ (સુકો કફ)ની સમસ્યા ન થાય તે જોવું
જોઇએ. ગ્રીન ટી પણ પ્રદુષિત વાતાવરણમાં બહુ ઉપયોગી છે.તેમાં એન્ટિઓકસિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. તે ફેફસાના ટીશ્યુને હાનિકારક કણોથી બચાવે છે.
ADVERTISEMENT
પ્રદુષણના ખતરા સમયે પ્રોસેસ્ડ ફુડથી દુર રહેવું
દક્ષિણ કોરિયામાં થયેલા એક સંશોધનમાં જણાયું હતું કે જેઓ દરરોજ ઓછામાં ઓછી બે કપ ગ્રીન ટી પીતા હતા તેમના ફેફસા ગ્રીન ટી નહીં પીનારા લોકો કરતા વધુ સારી રીતે કામ કરતાં હતા.એન્ટિઇન્ફલેમેટરી ગણાતા કેટલીક વસ્તુઓ નિયમિત ખાવાથી ફેફસાની હેલ્થ સારી રહે છે.જેમકે હળદર,ફલાવર,કોબી,ઓલિવ,એખરોટ,વટાણા વગેરે ફેફસા માટે સારા છે.પ્રદુષણનો ખતરો હોય ત્યારે પ્રોસેસ્ડ ફુડથી દુર રહેવું જોઇએ.
ADVERTISEMENT
મધ પણ બહુ ગુણકારી છે.મધમાં બેકટેરિયાને મારવાની ક્ષમતા છે.આ ઉપરાંત મધમાં પણ એન્ટિઇન્ફલેમેટરી, એન્ટિઓકસિડન્ટ તત્વો ભરપુર માત્રામાં હોય છે.દરરોજ એક ચમચી મધ ફેફસાના
આરોગ્ય માટે લાભદાયી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.