બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સરકારે ગ્રેચ્યુટી લિમિટ તો 25 લાખ કરી દીધી, પરંતુ આ કર્મચારીઓને નહીં મળે તેનો ફાયદો

આનંદો / સરકારે ગ્રેચ્યુટી લિમિટ તો 25 લાખ કરી દીધી, પરંતુ આ કર્મચારીઓને નહીં મળે તેનો ફાયદો

Published By: Krutarth Joshi

Last Updated: 06:04 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) એ તાજેતરમાં એક સ્પષ્ટતા જાહેર કરી છે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹20 લાખથી વધારીને ₹25 લાખ કરી છે. જોકે, લોકોના મનમાં સવાલ છે કે, કયા કર્મચારીઓને આ લાભ મળશે. શું તેનો લાભ તમામ લોકોને મળશે કે થોડા લોકોને મળશે. સરકારે હવે આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે, જેથી કોઈ મૂંઝવણ ન થાય.

પેન્શનર કલ્યાણ વિભાગે આદેશ આપ્યો

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) એ તાજેતરમાં એક સ્પષ્ટતા જાહેર કરી છે. આ સ્પષ્ટતામાં જણાવાયું છે કે, 30 મે, 2024 ના રોજ બહાર પડાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, ફક્ત તે જ કેન્દ્ર સરકારના સિવિલ સેવકો જે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો 2021 અથવા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુઇટીની ચુકવણી) નિયમો 2021 હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેઓ જ આ વધેલી ગ્રેચ્યુઇટી માટે પાત્ર બનશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમોમાં આવ્યા નવા નીર, આ ગામોને સાવચેત રહેવા સૂચના

કોને આવરી શકાય નહી?

જેનો અર્થ એ છે કે જે કર્મચારીઓ આ નિયમો દ્વારા આવરી લેવામાં આવ્યા નથી તેમને આ વધેલી ગ્રેચ્યુઇટી મળશે નહીં. આમાં બેંકો, પોર્ટ ટ્રસ્ટ, RBI, PSU (જાહેર ક્ષેત્રના ઉપક્રમો), સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અથવા રાજ્ય સરકારોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ તેમના પોતાના નિયમો હેઠળ કાર્ય કરે છે, તેથી આ વિભાગ તેમના કેસ પર નિર્ણય લેતો નથી.

કેન્દ્ર સરકારનાં નિયમોમાં ફેરફાર

સરળ શબ્દોમાં કહીએ તો, ફક્ત કેન્દ્રીય સરકારી કર્મચારીઓ કે જેઓ NPS હેઠળ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021 અથવા ગ્રેચ્યુઇટી નિયમો 2021 દ્વારા આવરી લેવામાં આવ્યા છે તેમને જ ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી મળશે. અન્ય કર્મચારીઓએ તેમના પર કયા નિયમો લાગુ પડે છે તે નક્કી કરવા માટે તેમના વિભાગ અથવા મંત્રાલય પાસેથી માહિતી માંગવામાં આવી છે. આ સરકારી પગલું એવા કર્મચારીઓ માટે રાહત છે જે લાંબા સમયથી કેન્દ્રીય સેવાઓમાં કાર્યરત છે. હવે, નિવૃત્તિ સમયે તેમની પાસે વધુ નાણાકીય સુરક્ષા હશે, જેનાથી તેમનું નિવૃત્તિ પછીનું જીવન થોડું વધુ આરામદાયક બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

increased the gratuity limit to 25 lakhs indian government these employees will not get its benefit

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ