ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં એક વર્ષ સુધી ખેતીની જમીન NA નહીં થઈ શકે, સરકારે લીધો આ મોટો નિર્ણય
Last Updated: 10:21 PM, 3 June 2026
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્ય સરકારે ખેતીની જમીનોના રૂપાંતરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર હવે આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી (NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારનો ખેતીની જમીન માટે પરિપત્ર
સરકારના આ નિર્ણયથી ખેતીની જમીનના વેપાર અને સંપાદનને લગતી પ્રવૃત્તિઓ પર સીધી અસર જોવા મળશે. ખાસ કરીને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ અને સંપાદન પ્રક્રિયામાં આવતી જમીનોને લઈને થતા સોદા પર બ્રેક લાગશે.
ADVERTISEMENT

ખેતીની જમીન બિન ખેતી કરાવવાની MO પર લાગશે બ્રેક
ADVERTISEMENT
માહિતી અનુસાર, ખેતીની જમીન બિનખેતી કરાવવા માટે આપવામાં આવતી મંજૂરી (MO) પર પણ તાત્કાલિક અસરથી રોક મૂકવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે તેમજ ખેડૂતોના હિતોનું રક્ષણ થશે.
આ પણ વાંચોઃ 'ગેરકાયદેસર લોકોને આશરો આપનાર સામે ગુનો' હર્ષ સંઘવીએ ઓપરેશન 'ડેલ્ટા હન્ટ' પર આપી મોટી જાણકારી
ADVERTISEMENT
સંપાદનમાં જતી જમીનનો વેપલો હવે થશે બંધ
રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જમીન વિકાસ સાથે સંકળાયેલા વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, ખેડૂતોના હિતમાં લેવાયેલા પગલા તરીકે પણ આ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે. આ અંગે વધુ સ્પષ્ટતા અને અમલીકરણની વિગતો માટે સંબંધિત વિભાગો દ્વારા આગામી દિવસોમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો