બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 AM, 18 May 2026
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 18 મેના રોજ ચેપોક સ્ટેડિયમમાં મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. પરંતુ આ મેચ માત્ર બે ટીમો વચ્ચેની નથી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરની છેલ્લી મેચ બની શકે છે તેવી ચર્ચાઓએ ક્રિકેટ જગતમાં ઉત્સુકતા વધારી દીધી છે. ચાહકોમાં સૌથી મોટો સવાલ એ છે કે શું “થાલા” હવે પોતાના ચાહકોને અંતિમ સલામ આપશે? જોકે હજુ સુધી ધોની કે CSK તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મેચ પહેલા બનેલી કેટલીક ઘટનાઓ નિવૃત્તિ તરફ ઈશારો કરી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધોનીએ વર્ષ 2021 દરમિયાન CSKના એક કાર્યક્રમમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે તે હંમેશા આયોજન સાથે ક્રિકેટ રમે છે. તેણે કહ્યું હતું કે તેણે પોતાની છેલ્લી ODI રાંચીમાં રમી હતી અને તેની ઇચ્છા છે કે પોતાની છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં રમે. હવે આ વાતને 5 વર્ષ વીતી ગયા છે અને IPL 2026માં ચેપોક પર રમાનારી આ મેચ CSK માટે હોમ ગ્રાઉન્ડ પરની છેલ્લી મેચ છે. તેથી ચાહકો હવે માનવા લાગ્યા છે કે કદાચ ધોની હવે પોતાની જ કહેલી વાતને સાકાર કરશે.
Once MS Dhoni said, “Hopefully my last T20 will be in Chennai.” And before that, he mentioned how he has always planned his career — his last ODI in Ranchi, his home ground.
— sirron tweets💛 (@SirronOfficial) May 16, 2026
So yes, CSK Nation… we can dream.
Maybe, just maybe, on 18th May vs SRH, we might witness Thala walking… pic.twitter.com/lnyanIGLFF
ADVERTISEMENT
SRH સામેની મેચ પહેલા ધોનીને ચેપોકના નેટ સેશનમાં લાંબા સમય સુધી મહેનત કરતા જોવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની પ્રેક્ટિસના વીડિયો વાયરલ થયા બાદ નિવૃત્તિની અટકળો વધુ તેજ બની ગઈ છે. ઘણા ચાહકો માને છે કે ધોની આ ખાસ મેચ માટે પોતાને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહ્યો છે. બીજી તરફ, IPL શરૂ થાય તે પહેલાંથી જ ક્રિકેટ નિષ્ણાતો ધોનીની આ છેલ્લી સિઝન હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ધોનીના નજીકના મિત્ર મોહમ્મદ કૈફે પણ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 18 મેની ચેપોક મેચ ધોનીની છેલ્લી IPL મેચ બની શકે છે. કૈફે કહ્યું હતું કે તેને આશા છે કે ધોની આ મેચ રમશે અને પછી ચાહકોને યાદગાર ક્ષણ આપીને નિવૃત્તિ જાહેર કરશે. કૈફના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર “Thank You Dhoni” અને “Last Dance at Chepauk” જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા છે.
આ પણ વાંચો : શું છીનવાઇ જશે રિષભ પંતની વાઇસ કેપ્ટનશીપ? ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારના સંકેત!
ADVERTISEMENT
આ દરમિયાન, ધોનીના સૌથી નજીકના મિત્ર અને પૂર્વ CSK સ્ટાર સુરેશ રૈના પણ ચેન્નાઈ પહોંચ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે રૈના આ ખાસ ક્ષણનો ભાગ બનવા માટે ચેપોકમાં હાજર રહી શકે છે. આ સમાચાર પછી ધોનીની નિવૃત્તિ અંગેની ચર્ચાઓ વધુ વેગવંતી બની ગઈ છે. જો ખરેખર ધોની આ મેચ બાદ IPLમાંથી નિવૃત્તિ લે છે, તો ચેપોક સ્ટેડિયમમાં એક ભાવુક અને ઐતિહાસિક ક્ષણ જોવા મળી શકે છે, કારણ કે કરોડો ચાહકો માટે ધોની માત્ર ખેલાડી નહીં પરંતુ એક લાગણી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.