ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / someone threw a bottle on arvind kejriwal in gujarat

મુલાકાત / અરવિંદ કેજરીવાલ પર અજાણ્યા શખ્સે ફેંકી બોટલ, ખોડલધામમાં રાસોત્સવની મુલાકાત દરમિયાન ઘટી ઘટના

Published By: Jaydeep Shah

Last Updated: 09:12 AM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે રાજકોટનાં ખોડલધામ ગરબા કાર્યક્રમમાં જ્યારે અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત થઈ રહ્યા હતા ત્યારે તેમના પર કોઈ શખ્સે પાણીની બોટલ ફેંકી.

ADVERTISEMENT

  • શનિવારે કેજરીવાલે લીધી હતી ગુજરાતની મુલાકાત 
  • કાર્યક્રમમાં કેજરીવાલ પર એક શખ્સે બોટલ ફેંકી 
  • જનસભાને સંબોધિત કરતાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર લગાવ્યા સાંઠગાંઠનાં આરોપ 

શનિવારે કેજરીવાલે લીધી હતી ગુજરાતની મુલાકાત 

ગુજરાત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમા જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક ગરબા કાર્યક્રમમાં પણ સામેલ થયા. આ અવસર પર કોઈએ અરવિંદ કેજરીવાલ પર બોટલ ફેંકી. 

કાર્યક્રમમાં કેજરીવાલ પર એક શખ્સે બોટલ ફેંકી 

રાજકોટનાં ખોડલધામ ગરબા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા. તેમની સાથે પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા, નીલ સિટી ક્લબનાં ડાંડીયા કાર્યક્રમમાં તેમણે ગરબામા પણ ભાગ લીધો. ખોડલધામ ગરબામા જ્યારે અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત થઈ રહ્યા હતા ત્યારે તેમના પર કોઈ શખ્સે પાણીની બોટલ ફેંકી, જોકે કેજરીવાલ પર બોટલ ફેંકનાર શખ્સ કોણ હતો, એ સામે આવ્યું નથી. 

પોતાની આ મુલાકાત  દરમિયાન કેજરીવાલે બે જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી વિકલ્પ ન હતો, પણ આ વર્ષે આમ આદમી પાર્ટી વિકલ્પ છે અને હવે ગુજરાતમા પરિવર્તન થઈને રહેશે. ગુજરાતની જનતા આ લોકોને 27 વર્ષથી સહન કરી રહી હતી. હવે તેમનો અહંકાર તોડવાનો સમય આવી ગયો છે. 

બીજેપી અને કોંગ્રેસ પર લગાવ્યો સાંઠગાંઠનો આરોપ 
સરકારી રિપોર્ટનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભારે બહુમતી સાથે AAPની સરકાર બનવા જઈ રહી છે. ત્યારથી આ લોકો પાગલ થઈ ગયા છે. તેઓએ ચારેબાજુ ગુંડાગર્દી શરૂ કરી છે અને લોકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠકો થઈ રહી છે કે ગમે તે થાય, AAPની સરકાર ન આવે. જો AAPની સરકાર આવશે તો લૂંટ બંધ થશે અને તમામ પૈસા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે જશે.

ભગવંત માને બીજેપી પર સાધ્યો નિશાનો 
ગુજરાતનાં જુનાગઢમા જનસભાને સંબોધિત કરતાં પંજાબના સીએમ ભગવંત માને બીજેપી પર નિશાનો સાધ્યો. તેમણે બીજેપીનાં 'અચ્છે દિન' નારા પર નિશાન સાધતાં કહ્યું કે મને એ નથી ખબર કે તમારા સારા દિવસો આવ્યા કે નહીં, પણ ડિસેમ્બર બાદ કેજરીવાલ 'સચ્ચે દિન' જરૂર આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

arvind

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ