ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / sharad pawar attacks rahul gandhi for his remarks against modi sarkar on india china tension

ચીન વિવાદ / પવારની રાહુલ ગાંધીના નિવેદન પર મોટી વાત, કહ્યું રાષ્ટ્રીય સુરક્ષાને લઈને રાજકારણ ન થવું જોઈએ

Published By: vtvAdmin

Last Updated: 08:39 PM, 27 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના તણાવને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યાં છે. શરદ પવારે રાહુલના ચીન વિશેના નિવેદનો પર કહ્યું હતું કે '1962 માં જે બન્યું તે આપણે ભૂલી શકતા નથી. ચીને આપણી 45 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાને લઈને રાજનીતિ ન કરવી જોઈએ.

ADVERTISEMENT

મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી રાહુલ ગાંધી ભારત-ચીન વચ્ચેના તણાવને લઈને કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધી રહ્યાં છે. લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી અંગે રાહુલે શુક્રવારે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશે સત્ય બોલવું જોઈએ અને આપણી જમીન પરત લેવાની કાર્યવાહી કરવી જોઈએ, અને આ માટે આખો દેશ તેની સાથે ઉભા રહેશે. જો કે, આ મુદ્દે  કોંગ્રેસના સાથી પક્ષ NCPના વડા શરદ પવારે તેમને સંભળાવ્યું છે.

શરદ પવારે રાહુલ ગાંધીના સતત ચીન વિશેના નિવેદનો પર કહ્યું હતું કે '1962 માં જે બન્યું તે આપણે ભૂલી શકતા નથી. કારણ કે એ સમયે ચીને આપણી 45 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો હતો. હાલમાં મને ખબર નથી કે ચીને આ જમીન લીધી છે કે નહીં, પરંતુ આપણે તે વિશે વાત કરતી વખતે ઇતિહાસ યાદ રાખવો જોઈએ. નેશનલ સિક્યોરિટીને લઈને રાજકારણ ન થવું જોઈએ.

પવારે કહ્યું, યુદ્ધની કોઈ સંભાવના નથી

પીવી નરસિંહરાવ સરકાર દરમિયાન સંરક્ષણ પ્રધાન રહેલા શરદ પવારે કહ્યું હતું કે 'મને હમણાં યુદ્ધની કોઈ સંભાવના દેખાતી નથી. જો કે, દેખીતી રીતે જ ચીને એક મૂંઝવણ અનુભવી છે. ગલવાનમાં ભારતીય સેનાએ જે પણ બાંધકામ કામ કર્યું છે તે તેની મર્યાદામાં જ કર્યું છે. '

રાહુલ ગાંધીનો દાવો, ચીને ત્રણ જગ્યાએ આપણી જમીન હડપી

અગાઉ, મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક મહત્વપૂર્ણ સવાલ ઉભો થાય છે. થોડા દિવસો પહેલા આપણા પ્રધાનંત્રીએ કહ્યું હતું કે ભારતમાં કોઈએ એક ઇંચની જમીન લીધી નથી, ભારતની અંદર કોઈ આવ્યું નથી. સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરો બતાવે છે, લદ્દાખના લોકો કહે છે અને નિવૃત્ત સૈન્ય અધિકારીઓ પણ એમ કહી રહ્યા છે કે ચીને આપણી જમીન ત્રણ જગ્યાએ લઈ લીધી છે.

"ગભરાવાની જરૂર નથી, સાચું બોલે પ્રધાનમંત્રી"

રાહુલ ગાંધીએ કહ્યું, 'પ્રધાનમંત્રીજી, તમારે સાચું બોલવું પડશે, તમારે દેશને કહેવું પડશે. ગભરાવાની જરૂર નથી. જો તમે કહો છો કે જમીન ગઈ નથી, પરંતુ જમીન ગઈ હશે, તો તેનો ફાયદો ચીનને થશે. આપણે તેમની સામે મળીને લડવું પડશે. તેઓને ઉઠાવીને પાછા ફેંકી દેવા પડશે. તમે કહો કે ચીને આપણી જમીન લીધી છે અને આપણે કાર્યવાહી કરવા જઈ રહ્યાં છીએ. આખો દેશ તમારી પડખે ઊભો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sharad Pawar india china border conflict rahul gandhi રાહુલ ગાંધી શરદ પવાર india china border conflict

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ