રાજકોટ એરપોર્ટ પર 27 માર્ચથી દરરોજ 12 વિમાનોનું થશે આવાગમન થશે જેથી સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ એરપોર્ટની સુરક્ષા વધારાશે
300થી વધુ CISFના જવાનોનો રહેશે બંદોબસ્ત
28 માર્ચે સુરક્ષા વિભાગના અધિકારીઓ કરશે સમીક્ષા
રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. ત્યારે ઉનાળુ વેકેશનને પગલે આગામી તા.27 માર્ચથી રાજકોટ એરપોર્ટ પર દૈનિક 12થી વધુ ફલાઈટોનું આવાગમન થવાનું છે. જેથી 300થી વધુ CISFના જવાનો એરપોર્ટની સુરક્ષામાં તેમજ ચેકિંગના કામકાજમાં બંદોબસ્તમાં રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 28 માર્ચે દિલ્લીથી સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ સમીક્ષા બેઠક કરશે.
કોરોના કાળમાં બંધ કરાયેલી ફ્લાઈટો શરૂ થશે
રાજકોટથી હવાઇ મુસાફરી કરનારા લોકો માટે આનંદના સમાચાર એ છે કે રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. બપોરે 3-30 કલાકે મુંબઇથી અને સાંજે 5 વાગ્યે રાજકોટથી ઉડાન ભરશે.રાજકોટથી મુંબઇ જનારા મુસાફરોને ધ્યાને રાખી નવી ફ્લાઇટ શરૂ કરાઇ છે.
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જાણીતું શહેર
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જાણીતું શહેર છે. ખાસ કરીને સબમર્સીબલ પંપ તથા બેરિંગ ઉદ્યોગ માટે જાણીતું છે. આ કારણોસર રાજકોટના વેપારીને મુંબઇ વારંવાર જવું પડતું હોય છે તો વળી મુંબઇના વેપારીઓને પણ રાજકોટ આવવાનું થતું હોય છે. બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ યાર્ડ પાટનગર તરીકે જાણીતુ રહ્યું છે. ત્યારે રાજકોટથી મુંબઈનો ટ્રાફિક વધુ હોવાના કારણે વિમાની સેવા શરૂ કરવાની ડિમાન્ડ લાંબા સમયથી કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ-મુંબઈ અને રાજકોટ દિલ્હીની હવાઈ સેવા ચાલુ કરવામાં આવી હતી.