બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 27 જુલાઈથી શનિ શરુ કરશે વક્રી ચાલ, આ ત્રણ રાશિઓઓ રહેવું સાવધાન

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 27 જુલાઈથી શનિ શરુ કરશે વક્રી ચાલ, આ ત્રણ રાશિઓઓ રહેવું સાવધાન

Last Updated: 11:37 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

27 જુલાઈથી શનિ વક્રી થશે. જેથી મેષ, કુંભ અને મીન રાશિના જાતકોએ કાર્યક્ષેત્ર, આર્થિક અને માનસિક બાબતોમાં સાવધાની રાખવી પડશે. જેમાં ધીરજ, સંયમ અને શનિના ઉપાયો કરવાથી તેની અસર ઓછી થઇ શકે છે.

1/6

photoStories-logo

1. શનિ રાશિ

27 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી થશે. હાલમાં શનિ મીન રાશિમાં જ છે અને મેષ, કુંભ તેમજ મીન રાશિના જાતકો પર શનિની સાડેસાતી ચાલી રહી છે. આ સમયે વક્રી શનિ આ ત્રણેય રાશિઓ પર કેવી અસર કરશે તે જાણવું જરૂરી છે. શનિદેવ 27 જુલાઈએ મીન રાશિમાં વક્ર થઈને ઉલટી ચાલે ચાલવાના છે અને 11 ડિસેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. આ દરમિયાન સાડેસાતી અનુભવતા જાતકો માટે સમય પડકારજનક રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

તમારા પર સાડેસાતીનો પ્રથમ તબક્કો ચાલે છે. વક્રી શનિના કારણે કાર્યક્ષેત્રમાં અસ્થિરતા, સહકર્મીઓ સાથે મતભેદ અને વધુ કામના પ્રેશરથી માનસિક તણાવ વધી શકે છે. અમુક જુના કામોમાં અવરોધ આવી શકે છે. વિવાહિત જીવનમાં પણ તણાવ રહેશે. આ સમયે ધીરજ અને સંયમ જાળવવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કુંભ

તમારા પર સાડેસાતીનો ત્રીજો તબક્કો ચાલે છે. આ સમયે આર્થિક બાબતોમાં વિશેષ સાવધાની રાખવી. કોઈ પણ નવા રોકાણથી દૂર રહેવું કેમ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. કરિયરમાં પણ અવરોધ અને એકાગ્રતાની કમી આવી શકે છે. પારિવારિક અને સામાજિક સંબંધોમાં સંતુલન જાળવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મીન

તમારા પર સાડેસાતીનો સૌથી કષ્ટદાયક ગણાતો બીજો તબક્કો ચાલે છે. જેમાં વક્રી શનિના પ્રભાવથી વ્યવસાયિક જીવનમાં અડચણો વધી શકે છે. લાંબા સમયથી ચાલતા કાર્યોમાં સફળતાનહીં મળે. માનસિક તણાવ અને બેચેની વધી શકે છે. મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે અંતર કે મનમુટાવ થઈ શકે છે. આ સમયે ધીરજ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રાહત માટે ઉપાય

જો વક્રી શનિના સમયે વધુ પરેશાની અનુભવાય તો દર શનિવારે "ॐ शं शनैश्चराय नमः" મંત્રની ત્રણ માળા જપ કરો. શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવીને સાત વાર પરિક્રમા કરો. આ ઉપાયથી માનસિક શક્તિ અને સકારાત્મકતા વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saturn Pisces Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ