બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અરુણ ગોવિલના ચરણ સ્પર્શીને ભાવુક બન્યા રણબીર કપૂર, કહ્યું- 'તમે કરોડો લોકોનું જીવન બદલ્યું'
5 ફોટો ગેલેરી
Last Updated: 04:50 PM, 19 July 2026
1/5
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 4000 કરોડની ફિલ્મ રામાયણનું ટ્રેલર 24 જુલાઈએ જાહેર થશે. આ ટ્રેલરની પ્રથમ ઝલક જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મની ટીમે દિલ્હીના ભારત મંડપમમાં એક ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ – રણબીર કપૂર, સની દેઓલ, યશ, સાઈ પલ્લવી, રકુલપ્રીત સિંહ, રવિ દુબે સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આ ઈવેન્ટમાં ખાસ હાજરી નોંધાવી હતી દૂરદર્શનની ફેમસ રામાયણમાં ભગવાન શ્રીરામના રૂપમાં અમર બનેલા અરુણ ગોવિલે પણ.
2/5
રણબીર કપૂરે અરુણ ગોવિલ માટે આપેલી ઈમોશનલ વાતોએ દરેકને પ્રભાવિત કરી દીધા હતા. રણબીરે કહ્યું કે અરુણ ગોવિલે જે રીતે રામના પાત્રને જીવંત કર્યું છે તેને કોઈ પણ અભિનેતા સાથે સરખાવી શકાય નહીં. તેને કહ્યું, “રામાનંદ સાગરની રામાયણમાં આપે જે રીતે આ પાત્રને નિભાવ્યું છે તેને અનેક પેઢીઓને પ્રભાવિત કરી છે.”
3/5
રણબીરે વધુમાં જણાવ્યું કે, “અરુણ જી આપે આ જવાબદારીને સુંદરતા, સત્ય અને ગરિમા સાથે નિભાવી છે. આપની આ સફરને મારા જેવા અભિનેતાઓને જ નહીં પરંતુ જેને તમારી રામાયણ જોઈ છે તે દરેક વ્યક્તિને પ્રેરણા આપી છે. આપે લોકોમાં વિશ્વાસ અને પ્રેરણા જગાવી છે.” તેને ભાવુક થતાં કહ્યું કે, “હું પોતાની મહેનતને ત્યારે જ સફળ માનીશ જ્યારે અરુણ ગોવિલે નિભાવેલા રામના પાત્રનો નાનામાં નાનો ભાગ પણ હું તેમના જેવી શુદ્ધતા અને ગરિમા સાથે નિભાવી શકું.”
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ