બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચાંદીપુરાના વધતા કેસોને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, 12 પોઝિટિવ અને 8 મોત
Last Updated: 04:26 PM, 20 July 2026
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચાંદીપુરાના કેસોની હાલની સ્થિતિ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
ADVERTISEMENT
ચાંદીપુરાના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરાના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ કેસો મહેસાણા, પંચમહાલ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને ખેડા જિલ્લામાંથી સામે આવ્યા છે. તપાસ દરમિયાન 12 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા માટે પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
8 દર્દીઓના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું
ADVERTISEMENT
આ રોગના કારણે અત્યાર સુધી 8 દર્દીઓના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ ગત વર્ષે જ્યાંથી ચાંદીપુરાના કેસ નોંધાયા હતા તે વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમો દ્વારા ફરી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ બે માસૂમ સંતાનો સહિત પતિને પડતો મૂકી મહિલા ભત્રીજા સાથે ફરાર, કરી હર્ષ સંઘવીને વિનંતી
ADVERTISEMENT
અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ
રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. ઉપરાંત લોકોમાં જાગૃતિ ફેલાવવા, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અને બાળકોના આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાના પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.