બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ચલો સંસદ' માર્ચ દરમિયાન જંતર-મંતર પર બબાલ, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ; લાઠીચાર્જના આરોપો વચ્ચે પોલીસનું ખંડન
Last Updated: 12:40 PM, 20 July 2026
નવી દિલ્હી: શિક્ષણ અને યુવાનોના હિતના મુદ્દાઓને લઈને યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકરો જોડાયા હતા. જોકે, જ્યારે પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું.
ADVERTISEMENT
માહિતી અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના આરોપો છે. ત્યારબાદ ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેરળ હાઉસના પ્રવેશદ્વાર નજીક સ્થિતિ વધુ તંગ બની હતી, જ્યાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.
ADVERTISEMENT
પ્રદર્શનકારીઓને સંસદ તરફ આગળ વધતા રોકવા માટે પોલીસે મધ્ય દિલ્હીના અનેક મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ ગોઠવ્યા હતા. સ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા, જ્યારે પોલીસ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા પ્રદર્શનકારીઓ પણ સામેલ હતી.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટીએ આ માર્ચનું આયોજન શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે કર્યું હતું. પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોની સતત અવગણના કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી CJP જંતર-મંતર પર વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે, જ્યારે સોમવારે યોજાયેલી 'ચલો સંસદ' માર્ચમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ADVERTISEMENT
જંતર-મંતર પર હાજર રહેલા એક પ્રદર્શનકારીએ દાવો કર્યો કે આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના પ્રમુખ ચંદ્રશેખર આઝાદનો કાફલો પહોંચતા જ અચાનક ભીડ વધી ગઈ હતી, જેના કારણે સ્થિતિ બેકાબૂ બની હતી.
ADVERTISEMENT
જંતર-મંતર પર લાઠીચાર્જ, હિંસા અને પ્રદર્શનકારીઓની અટકાયત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં કરવામાં આવેલા દાવાઓને દિલ્હી પોલીસે નકારી કાઢ્યા છે.
દિલ્હી પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે સમગ્ર પ્રદર્શનને વ્યવસાયિક રીતે સંભાળવામાં આવી રહ્યું છે અને સ્થળ પર કોઈ પ્રકારની હિંસા કે બળપ્રયોગ થયો નથી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે.
ADVERTISEMENT
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર, મંડી હાઉસ અને સંસદ ભવન આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સ્થિતિ પર નજર રાખવા માટે મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી.
આ સમગ્ર આંદોલન સાથે જોડાયેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક, જે હાલમાં સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમણે પણ યુવા પ્રદર્શનકારીઓને શુભેચ્છા પાઠવી છે. CJPના પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા અનુસાર, વાંગચુકની તબિયત સ્થિર છે અને તેઓ હજુ પણ પોતાના ઉપવાસ પર અડગ છે. બીજી તરફ, વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોએ તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અને આંદોલનના મૂળ મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.