ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વયમર્યાદા કરાઈ આટલી
Last Updated: 10:54 PM, 3 June 2026
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં સુધારા કરીને મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવી જોગવાઈ મુજબ ધોરણ 1 થી 5 તેમજ ધોરણ 6 થી 8 માટેની ભરતીમાં TAT પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત જિલ્લાવાર ખાલી જગ્યાઓ માટે મેરિટ કમ પ્રેફરન્સના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્યની અનેક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જિલ્લા શિક્ષણ તંત્રને નવી માર્ગદર્શિકા મોકલવામાં આવી છે.

ADVERTISEMENT
સુધારેલા નિયમોમાં પ્રતિક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) તૈયાર કરવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે, જેથી જરૂરિયાત ઊભી થાય ત્યારે ઝડપથી ભરતી કરી શકાય.
સરકારે સ્પષ્ટતા કરી છે કે જો સંબંધિત શાળામાં નિયમિત શિક્ષક હાજર થાય અથવા બદલીના કારણે શિક્ષકની નિમણૂક થાય, તો જ્ઞાન સહાયકની કરાર આધારિત સેવા સમાપ્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતના સરથાણામાં રસ્તા પર બેફામ રીતે કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ થયો, પોલીસ લેશે એક્શન?
જો કે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા કરાર આધારિત નિમણૂક કરવાની વર્તમાન પ્રક્રિયા યથાવત્ રાખવામાં આવી છે. નવા નિયમોથી ભરતી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે અને શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.