ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:36 PM, 16 July 2025
ADVERTISEMENT
Should Women Touch the Shivling: ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે.શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે. આખા મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT

મહિલાઓ શ્રાવણના સોમવારે ઉપવાસ પણ રાખે છે. આ સાથે, શિવભક્તો મંદિરોમાં મહાદેવના દર્શન કરવા અને શિવલિંગનો જલાભિષેક કરવા જાય છે. શિવલિંગ પર બીલીપત્ર, ચંદન અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે કે નહીં? ચાલો જાણીએ. જ્યોતિષ શાસ્ત્રમાં, ભગવાન શિવના શિવલિંગ સ્વરૂપની પૂજા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે.
ADVERTISEMENT
શિવલિંગની પૂજા કરતી વખતે મહિલાઓએ કેટલીક ભૂલો ન કરવી જોઈએ
શિવલિંગની પૂજા કરતી વખતે મહિલાઓએ કેટલીક ભૂલો ન કરવી જોઈએછ:,નહીં તો તેમને પ્રતિકૂળ પરિણામો ભોગવવા પડી શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શિવલિંગ એક પુરુષ તત્વ છે. તેથી, તેને સ્પર્શ કરવો સ્ત્રીઓ માટે વર્જિત માનવામાં આવે છે. જોકે, જે સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરવા માંગે છે તેઓએ નંદી મુદ્રામાં કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર,ફક્ત પરિણીત યુગલ અથવા પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે.અપરિણીત સ્ત્રીઓ માટે શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ છે.
ADVERTISEMENT

નંદી મુદ્રા શું છે?
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નંદીજીની જેમ બેસવાને નંદી મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રામાં, પહેલી અને છેલ્લી આંગળી સીધી રાખવામાં આવે છે. બે મધ્યમ આંગળીઓ અંગૂઠા સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મુદ્રામાં મહાદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓનો 8મા પગાર પંચમાં કેટલો પગાર વધશે? સરળ ભાષામાં સમજો ગણતરી
ADVERTISEMENT
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગને સ્પર્શ કરવાની એક રીત છે. તેને સીધો સ્પર્શ ન કરવો જોઈએ. જો કોઈ સ્ત્રી શિવલિંગ પર તિલક લગાવવા માંગે છે, તો તેણે પહેલા શિવલિંગના પાણીને સ્પર્શ કરીને પ્રણામ કરવા જોઈએ. આ પછી, તેણે તેને સ્પર્શ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો