ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં દારૂ પીવાના કારણે વધુ એક વ્યક્તિનું મોત, મોડી રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો
Last Updated: 12:43 PM, 5 September 2026
ADVERTISEMENT
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં દેશી દારુ પીવાને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 48 વર્ષીય ભાવેશ વિસાણીએ મોડી રાતે છાતીમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ કરી હતી. સારવાર માટે લઇ જતા તેનું મોત થયું હતું. પોલીસે પરિજનોની પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT
પરિવારે શું કહ્યું?
પરિવારે એવું કહ્યું કે ભાવેશે દારુનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ તેની તબિયત લથડી હતી.
ADVERTISEMENT
ભાવનગર દારુકાંડમાં અત્યાર સુધી 13ના મોત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ભાવનગર દારુકાંડમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈશ અન્સારી સહિતના આરોપીઓ બાદ, આનંદ છાંડી સહિતના વધુ 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટના આદેશથી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો