બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / હજુ વધુ તપશે ધરતી, 25 મેથી આગ ઓકશે સૂરજ,આ એક કામ કરવાથી મળશે પુણ્ય

ધર્મ / હજુ વધુ તપશે ધરતી, 25 મેથી આગ ઓકશે સૂરજ,આ એક કામ કરવાથી મળશે પુણ્ય

Ajitsinh Jadeja

Last Updated: 10:08 PM, 18 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Summer: આ વર્ષે 25 મે થી 2 જૂન સુધી આકરી ગરમી પડવાની છે. નૌતપા વર્ષના નવ સૌથી ગરમ દિવસો હોય છે.

Summer: આ વર્ષે 25 મે થી 2 જૂન સુધી આકરી ગરમી પડવાની છે. નૌતપા વર્ષના નવ સૌથી ગરમ દિવસો હોય છે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય પોતાનો સૌથી તીવ્ર અગ્નિ વરસાવે છે, અને પૃથ્વી ગરમ થવા લાગે છે. જણાવી દઇએ કે રોહિણીએ વૃષભ રાશિનો એક નક્ષત્ર છે, અને ચંદ્રને તેનો સ્વામી માનવામાં આવે છે.

25 મે ના સૂર્ય રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે, જેને લઇ નૌતપાની શરૂઆત થઇ જશે. આ વર્ષે નૌતપા 25 મે થી 2 જૂન સુધી રહેશે. નૌતપા વર્ષના નવ સૌથી ગરમ દિવસો હોય છે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય પોતાનો સૌથી તીવ્ર અગ્નિ વરસાવે છે, અને પૃથ્વી ગરમ થવા લાગે છે. બીજી મહત્વની વાત એ છે કે આ નૌતપા અધિક મહિનામાં લાગી રહ્યો છે. તેથી દાન-પૂણ્યનું મહત્વ વધુ છે. ચાલો જાણીએ કે નૌતપા દરમિયાન કઈ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે અને કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

નૌતપા દરમિયાન આ 5 વસ્તુઓનું દાન કરો

પાણી કે શરબતનું દાન કરો - નૌતપાની તીવ્ર ગરમીથી લોકોને રાહત માટે પાણી કે શરબતનું દાન કરવું પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવસોમાં લોકો વિવિધ સ્થળોએ પાણી અને શરબતનું દાન કરે છે. એવું કહેવાય છે કે તેનાથી સૂર્ય દેવનો આશીર્વાદ મળે છે.

પંખાનું દાન - નૌતપાથી રાહત આપવા માટે તમે પંખો પણ દાન કરી શકો છો. તમે તમારી ક્ષમતા મુજબ હાથથી ચાલતો કે ઇલેક્ટ્રિક પંખો દાન કરી શકો છો. ધ્યાનમાં રાખો કે જેને ખરેખર જરૂર હોય તેને દાન કરવું હંમેશા શ્રેષ્ઠ છે.

મોસમી ફળોનું દાન કરો - આ ઉનાળાની ઋતુ દરમિયાન તમે મોસમી ફળોનું પણ દાન કરી શકો છો. આ તરબૂચ, ખરબૂજા અથવા કેરી જેવા ફળોની ઋતુ છે. તેથી તમે આ વસ્તુઓ ગરીબોને દાન કરી શકો છો. વધુમાં તમે શેરડીનો રસ પણ દાન કરી શકો છો. ઉનાળા દરમિયાન આ વસ્તુઓનું દાન કરવાથી તમને અપાર પુણ્ય મળશે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ બેન્કોને સરકારનો લોકડાઉન જેવો ઓર્ડર, કહ્યું- શું કરવું અને શું નહીં?

છત્રીનું દાન કરો - નૌતપાની તીવ્ર ગરમી દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા માટે છત્રીનું દાન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ સૂર્યના પ્રકોપથી રાહત આપે છે અને દાતા પર પુણ્યનું ફળ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hitwave Summer nautapa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ