બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:08 PM, 18 May 2026
Modi Govt Order: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ નાણા મંત્રાલયે સરકારી બેંકો અને વીમા કંપનીઓને એક આદેશ જારી કર્યો છે, જેમાં ખર્ચ ઘટાડવામાં અસરકારક સાબિત થશે તેવા અનેક નિર્દેશો આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દેશમાં છેલ્લા અઠવાડિયામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વ યુદ્ધની ગંભીર અસરને ટાંકીને મર્યાદિત ઇંધણના ઉપયોગ માટે પણ અપીલ કરી હતી. હવે નાણા મંત્રાલયે સરકારી બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને ખર્ચ ઘટાડવાના પગલાં અમલમાં મૂકવા નિર્દેશ આપ્યો છે.
એક રીપોર્ટ મુજબ સરકારી આદેશમાં ખર્ચ ઘટાડવા માટે નિર્દેશ અપાયા છે. આ પગલાંમાં અધિકારીઓ દ્વારા વિદેશ યાત્રા ઘટાડવા, મીટિંગ માટે વિડિઓ કોન્ફરન્સિંગનો ઉપયોગ વધારવો અને ઇલેક્ટ્રિક વાહનો તરફ સિફ્ટ થવાનો સમાવેશ થાય છે. સોમવારે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરાયેલ આ આદેશ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિત નાણાકીય અને વીમા કંપનીઓને લાગુ પડે છે.
ADVERTISEMENT
વિદેશ યાત્રામાં ઘટાડો
સરકારના નવા ખર્ચ ઘટાડવાના પગલાંના ભાગ રૂપે બધી મીટિંગો, કાર્ય-પ્રોજેક્ટ સમીક્ષાઓ અને સૂચનો વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવવા જોઈએ સિવાય કે ભૌતિક હાજરી ફરજિયાત હોય. વધુમાં ચેરમેન, એમડી અથવા સીઈઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદેશ પ્રવાસ નિર્ધારિત મર્યાદાથી નીચે રાખવો જોઈએ, અને શક્ય હોય ત્યાં સુધી વિદેશી કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપવી જોઈએ.
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ
સરકાર તરફથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા પણ વિનંતી કરી છે. આદેશમાં જણાવાયું છે કે તમામ સંસ્થાઓએ તેમના હેડક્વાટર અને શાખાઓમાં શક્ય તેટલા ભાડાના પેટ્રોલ અને ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / PM મોદીના પ્રવાસ પછી પેટ્રોલ-ડીઝલ અને LPG સસ્તા થશે? સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો સવાલ
ADVERTISEMENT
પીએમ મોદીએ કરી હતી અપીલ
નોંધનીય છે કે આ પગલું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી અપીલ પછી લેવામાં આવ્યું હતું. મોદીએ અધિકારીઓ અને નાગરિકોને કોવિડ-19 રોગચાળા દરમિયાન લાગુ કરાયેલા પગલાંની જેમ ઘરેથી કામ, ઓનલાઈન મીટિંગ્સ અને વિડીયો કોન્ફરન્સિંગ ફરી શરૂ કરવા વિનંતી કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે, તેને રાષ્ટ્રીય હિતમાં એક પગલું ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ આવી રહ્યું છે. પીએમએ ઇંધણનો કરકસરથી ઉપયોગ કરી બચત કરવા અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.