ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આરોપીઓની સૌથી નજીકના 20 લોકોને અયોધ્યા છોડવા પર રોક

National / આરોપીઓની સૌથી નજીકના 20 લોકોને અયોધ્યા છોડવા પર રોક

Published By: Nidhi Panchal

Last Updated: 08:46 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાન ચોરી કેસની તપાસ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. SIT અને પોલીસ સતત તપાસ આગળ વધારી રહી છે, જ્યારે ટ્રસ્ટે નવા CEOની નિમણૂકની પ્રક્રિયા પણ ઝડપી

ADVERTISEMENT

અયોધ્યાના શ્રી રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. તપાસ દરમિયાન સામે આવેલા નવા ખુલાસાઓ બાદ પોલીસે કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓના નજીકના સંપર્કમાં રહેલા આશરે 20 લોકોને અયોધ્યા જિલ્લો છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, 50થી વધુ લોકોને નોટિસ મોકલી તેમના નિવેદનો નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આરોપીઓના સંપર્કમાં રહેલા લોકો પાસેથી મળતી માહિતી કેસના અનેક મહત્વના પાસાઓને સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે.

Ram Mandir

મુલાકાતો અને અન્ય વ્યવહારોની લીધી વીગત

શુક્રવારે તપાસ અધિકારી આશુતોષ તિવારીએ કેસ સાથે જોડાયેલા અનેક લોકોની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને આરોપીઓ સાથેના તેમના સંબંધો, મુલાકાતો તેમજ અન્ય વ્યવહારો વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ હવે આ તમામ માહિતીનું વિશ્લેષણ કરી રહી છે જેથી કેસની દરેક કડી સુધી પહોંચી શકાય.

તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ મહત્વનો નિર્ણય

આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટે પોતાના ખર્ચે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. નવા CEOને ટ્રસ્ટ તરફથી પગાર આપવામાં આવશે. 6 જુલાઈએ યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં CEOની પસંદગી માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં નિવૃત્ત ચીફ જસ્ટિસ પ્રમોદ કોહલી, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેય સભ્યો પોતાના ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાત માનવામાં આવે છે. સમિતિ યોગ્ય ઉમેદવારોના ત્રણ નામ ટ્રસ્ટ સમક્ષ રજૂ કરશે, જેના આધારે આગામી બેઠકમાં નવા CEOના નામ અંગે ચર્ચા થઈ શકે છે.

માહિતીને અત્યાર સુધીના પુરાવા સાથે મેચ

બીજી તરફ, પોલીસ આરોપીઓના નજીકના સંબંધીઓ અને સંપર્કમાં રહેલા લોકો પાસેથી મળેલી માહિતીને અત્યાર સુધીના પુરાવા સાથે મેચ કરી રહી છે. તપાસ દરમિયાન મળેલા કોલ ડિટેલ્સ, નાણાકીય વ્યવહારો, બેંક સંબંધિત માહિતી અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિવિધ પોલીસ ટીમો યાદીમાં સામેલ લોકોને ફોન અથવા અન્ય માધ્યમથી પૂછપરછ માટે બોલાવી રહી છે. તેમની પાસેથી આરોપીઓ સાથેના સંબંધો, તેમની મુલાકાતો, નાણાકીય લેવડદેવડ અને ત્યારબાદની તમામ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટાભાગના લોકોને પોલીસ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

દાનની ગણતરી પહેલાં જ રોકડની ચોરી કરવામાં આવી

તપાસ દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો ચોરાયેલી દાનની રકમનો છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે દાનની ગણતરી પહેલાં જ રોકડની ચોરી કરવામાં આવી હોવાની શક્યતા છે. જેના કારણે કુલ કેટલી રકમ ચોરાઈ તે ચોક્કસ રીતે નક્કી કરવી મુશ્કેલ બની રહી છે. ગણતરી પૂર્ણ થયા બાદ બેંકમાં જમા થતી દરેક રકમનો સંપૂર્ણ હિસાબ ઉપલબ્ધ હોય છે, પરંતુ ગણતરી પહેલાં ચોરી થઈ હોય તો ચોક્કસ નુકસાનનો અંદાજ લગાવવો સરળ નથી.

નોટોના બંડલો છુપાવતો હોવાનું પણ સામે

SIT અને પોલીસ તપાસમાં અત્યાર સુધી એટલું સ્પષ્ટ થયું છે કે રોકડની ગણતરી અથવા રોકડ હેન્ડલિંગ દરમિયાન દાનની રકમમાંથી ચોરી કરવામાં આવી હતી. CCTV ફૂટેજમાં ગણતરી સ્ટાફ નોટો અને નોટોના બંડલો છુપાવતો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, કુલ કેટલી રકમની ચોરી થઈ છે અને આ ગેરરીતિ કેટલા સમયથી ચાલી રહી હતી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ પણ વાંચો : સુનાવણી દરમિયાન જજ પર ફેંક્યા કાગળ, વકીલે ન્યાયાધીશને આપી ગાળો

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ ઉપરાંત અનેક વાહનો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મિલકતના દસ્તાવેજો અને દાગીના પણ મળી આવ્યા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ સંપત્તિ દાનની ચોરીમાંથી મેળવેલા પૈસાથી ખરીદવામાં આવી હોઈ શકે છે. જોકે તપાસમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં માત્ર આરોપીઓ પાસેથી મળેલી રોકડ, મિલકતના દસ્તાવેજો, દાગીના અને અન્ય સંપત્તિને જ સંભવિત ચોરાયેલી સંપત્તિ તરીકે ગણવામાં આવી રહી છે. કુલ ચોરાયેલી રકમ અંગે હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યો નથી. હાલ SIT પોતાની તપાસ ચાલુ રાખી રહી છે અને પોલીસ પણ આરોપીઓ તેમજ તેમના સંપર્કમાં રહેલા લોકોની સતત પૂછપરછ કરીને સમગ્ર મામલાની દરેક કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya News Ram Mandir Donation Theft Ram Janmabhoomi Trust

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ