બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંસક પશુઓના હુમલાઓ વચ્ચે વન રક્ષક કર્મચારીઓની મોટી રજૂઆત, વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને લખ્યો પત્ર
Last Updated: 09:20 AM, 12 July 2026
અમદાવાદમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હિંસક પશુઓ દ્વારા માનવો પર થતા હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે વન રક્ષક કર્મચારી મંડળે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને વન વિભાગમાં કાર્યરત કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી છે. મંડળનું કહેવું છે કે હાલની સ્થિતિમાં સ્ટાફની અછત અને વધતા કાર્યભારને કારણે મેદાની કામગીરી અસરગ્રસ્ત બની રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વન રક્ષક કર્મચારી મંડળે પોતાના પત્રમાં જણાવ્યું છે કે હાલમાં વન રક્ષકોની સંખ્યા ઓછી હોવાથી જંગલ વિસ્તારોમાં યોગ્ય મોનિટરિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. વિશાળ વિસ્તાર પર મર્યાદિત સ્ટાફ સાથે દેખરેખ રાખવી પડતી હોવાથી વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવામાં અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. પરિણામે માનવ અને હિંસક પશુ વચ્ચેના સંઘર્ષને અટકાવવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે.
ADVERTISEMENT
મંડળે એવો પણ આક્ષેપ કર્યો છે કે વન રક્ષકોને મળતો પગાર વર્ગ-4ના કેટલાક કર્મચારીઓ કરતાં પણ ઓછો છે. મેદાનમાં જોખમી પરિસ્થિતિમાં ફરજ બજાવવા છતાં યોગ્ય વેતન અને સુવિધાઓ મળતી ન હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે તેમની ફરજની ગંભીરતા અને જોખમને ધ્યાનમાં રાખીને વેતન અને અન્ય લાભોમાં સુધારો કરવામાં આવે.
ADVERTISEMENT
પત્રમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે હાલના રાઉન્ડ અને બીટ વિસ્તારનું વિભાજન કરવામાં આવે. અનેક વિસ્તારો ખૂબ મોટા હોવાથી એક જ કર્મચારી માટે સમગ્ર વિસ્તારની અસરકારક દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી છે. તેથી વિસ્તારનું યોગ્ય રીતે વિભાજન કરીને નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ADVERTISEMENT
વન રક્ષક કર્મચારી મંડળે સરકારને વિનંતી કરી છે કે વિસ્તારના વિભાજન બાદ નવા મહેકમની ફાળવણી કરવામાં આવે જેથી પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ થઈ શકે અને મેદાની કામગીરી વધુ અસરકારક બની શકે. પૂરતા કર્મચારીઓની નિમણૂકથી જંગલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, મોનિટરિંગ અને વન્યજીવ સંરક્ષણનું કામ વધુ સારી રીતે થઈ શકશે.
ADVERTISEMENT
આ ઉપરાંત મેદાનમાં ફરજ બજાવતા ફિલ્ડ સ્ટાફને આધુનિક હથિયારો અને જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. કર્મચારીઓનું માનવું છે કે હિંસક પશુઓનો સામનો કરતી વખતે તેમની પોતાની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આધુનિક સાધનો અને હથિયારો ઉપલબ્ધ થશે તો તેઓ વધુ સુરક્ષિત રીતે પોતાની ફરજ બજાવી શકશે.
વન રક્ષક કર્મચારી મંડળે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને રજૂઆત કરીને આ તમામ માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. કર્મચારીઓનું માનવું છે કે સ્ટાફમાં વધારો, યોગ્ય વેતન, બીટ વિસ્તારનું વિભાજન અને આધુનિક સાધનોની ઉપલબ્ધિથી વન વિભાગની કામગીરી વધુ મજબૂત બનશે તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.