ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ration card beneficiaries will get five kilograms of gram free in fair price shops from december
Last Updated: 09:57 AM, 26 November 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. કોરોના મહામારી દરમિયાન માર્ચ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગ રુપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી. ગરીબ પરિવારોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકારે 80 કરોડથી વધારે રાશન કાર્ડધારકોને એપ્રિલ, મે અને જૂન માટે રાશન કાર્ડમાં દાખલ સભ્યોના આધાર પર પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ (ઘઉં અથવા ચોખા) અને પ્રતિ પરિવાર 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરી હતી.

ADVERTISEMENT
30 નવેમ્બર 2020 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાય
આ મફ્ત 5 કિલો અનાજ, રાશન કાર્ડ પર મળનારા અનાજના હાજર કોટા ઉપરાંત છે. આ બાદ આ યોજના(પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ અન્ન યોજના)ની મર્યાદા દિવાળી અને છઠ પૂજા સુધી કરી દેવામાં આવી એટલે કે 30 નવેમ્બર 2020 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાશે.
ADVERTISEMENT

80 કરોડ ગરીબ લોકોને 5 કિલો મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે
ADVERTISEMENT
30 નવેમ્બર સુધી દેશમાં લગભગ 80 કરોડ ગરીબ લોકોને 5 કિલો મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંતર્ગત અનાજના હાજર કોટા ઉપરાંત પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા ચોખા અને પ્રતિ પરિવાર 1 કિલો ચણા મફત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ