ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / ગોંડલના રાજકુમાર જાટના કેસમાં મોટો ખુલાસો, નશેડી હતો, કપડા કાઢી 51 કિમી ચાલ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે
Last Updated: 09:22 PM, 25 August 2026
ADVERTISEMENT
Rajkumar Jat Case: ગોંડલના રાજકુમાર જાટ કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજકુમાર જાટ કપડા કાઢીને 51 કિમી ચાલ્યો હતો જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. તે વ્યસન કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
ગોંડલના રાજકુમાર જાટ(ઉ.વ.24) મોતના કેસની હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી જેમાં સરકારી વકીલે તપાસ રિપોર્ટ કોર્ટમાં મૂક્યો છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સીસીટીવીમાં રાજકુમાર જાટ પોતે કપડાં ઉતારતો દેખાય છે. આ વીડિયોને ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં વીડિયોમાં કોઈ ચેડા નહીં થયા હોવાનો પણ રિપોર્ટ આવ્યો છે.
આ વીડિયોમાં મૃતક રાજકુમાર કેટલીક વાતો બોલતો હોવાનું દેખાય છે. જેમાં તે ગાંજાનું સેવન કરતો હોવાનું જણાઈ આવે છે. મનોચિકિત્સકનું કહેવું છે કે મૃતક વ્યસની હોવાનું લાગી રહ્યુ છે. તેની ચાલવાની પદ્ધતિ પણ અલગ લાગતી હતી. ચાલતો હતો.
ADVERTISEMENT
ઘરેથી તે નીકળ્યો અને અકસ્માત પહેલા એક આશ્રમમાં જઈને ગાંજો માંગ્યો હતો. પોલીસે 21 સીસીટીવી ચેક કર્યા છે જેમાં તે એકલો ચાલતો દેખાય છે. આ કેસની વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર / રક્ષાબંધન પર STના કાફલામાં નવી 101 બસો ઉમેરાશે, ડેપ્યુટી CM હર્ષ સંઘવી આપશે લીલીઝંડી
રાજકુમાર કેસ શુ છે?
ADVERTISEMENT
રાજસ્થાનના અને વર્ષોથી ગુજરાતના ગોંડલમાં રહેતા અને શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચ 2025એ ઘરેથી એકાએક ગુમ થયો હતો. આ અંગે 5 માર્ચના તેના પિતા રતનકુમારે ગોંડલ પોલીસને અરજી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો