ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રક્ષાબંધન પર STના કાફલામાં નવી 101 બસો ઉમેરાશે, ડેપ્યુટી CM હર્ષ સંઘવી આપશે લીલીઝંડી
Last Updated: 07:37 PM, 25 August 2026
ADVERTISEMENT
રક્ષાબંધન પર બહેનો સરળતાથી મુસાફરી કરીને ભાઈના ઘરે પહોંચી શકે તે માટે આ 101 નવી બસો એસટી કાફલામાં સામેલ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી લીલીઝંડી દેખાડીને નવી બસોનું પ્રસ્થાન કરાવશે.
ADVERTISEMENT
આવતીકાલે ગુજરાત એસટી ના કાફલામાં ૧૦૧ નવી બસો ઉમેરાશે અને આ રક્ષાબંધને બહેનો આ જ નવી બસોમાં સફર કરી ભાઈના ઘરે પહોંચશે.
— Harsh Sanghavi (@sanghaviharsh) August 25, 2026
Tomorrow, 101 new buses will join Gujarat’s fleet and this Rakshabandhan, our sisters will travel home to their brothers on these very buses, a gift of seamless… pic.twitter.com/j0RNQOAaBJ
વડોદરામાં મહિલાઓ માટે સિટી બસમાં મફત મુસાફરી
ADVERTISEMENT
વડોદરા મનપાએ પણ શહેરની બહેનોને ભેટ આપી છે અને રક્ષાબંધનના તહેવારે પર સિટી બસની મુસાફરી મફત કરી દીધી છે. શહેરમાં દોડતી 150 ઈવી બસમાં બહેનો અને બાળકો મફત મુસાફરી કરી શકશે.
રક્ષાબંધન પર 6500 વધારાની એસટી બસો દોડશે
ADVERTISEMENT
તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 6500 વધારાની એસટી બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે.
કયા રુટ પર દોડશે બસો
ADVERTISEMENT
આ વધારાની બસો અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડીયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામો માટે દોડાવાશે.
વધુ વાંચો : આવતીકાલથી ભારે વરસાદની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે, IMDનું એલર્ટ
ADVERTISEMENT
ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો
ગત વર્ષે પણ રક્ષાબંધન પર નિગમ દ્વારા 6402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી જેનો 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોની સુવિધા માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.