ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / ram mandir bjp narottam mishra calls cogress digvijay singh asura because he slams pm narendra modi

રામ મંદિર / દિગ્વિજય સિંહે કહ્યું, મોદીજી હજુ કેટલાંને હોસ્પિટલમાં મોકલશો તો ભાજપના મંત્રીએ કહ્યું તમે અસૂર છો

Published By: vtvAdmin

Last Updated: 03:35 PM, 3 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના અયોધ્યામાં રામ મંદિરની પ્રસ્તાવિત ભૂમ પૂજનને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રીથી અનુરોધ કર્યો છે કે 5 ઓગસ્ટ 2020ના રોજ થનારું ભૂમિ પૂજનનું અશુભ મૂહુર્ત ટાલી દે. જો કે આ અપીલને લઈને શિવરાજ સરકારના મંત્રી અને ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય સિંહ પર નિશાનો સાધ્યો છે અને તેમને અસુર સુધી ગણાવી દીધા છે.

ADVERTISEMENT

હકીકતમાં દિગ્વિજય સિંહે એક પછી એક ટ્વિટ્સમાં સોમવારે પોતાની આ મુદ્દે વાત રાખી. કહ્યું કે "પાંચ ઓગ્સ્ટે ભગવાન રામના મંદિરના શિલાન્યાસના અશુભ મુહૂર્ત વિશે વિસ્તારથી જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે સચેત કર્યા હતા. પીએમની સુવિધા પર આ અશુભ મુહૂર્ત નીકાળવામાં આવ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદી હિન્દુ ધર્મની હજારો વર્ષની સ્થાપિત માન્યતાઓથી મોટા છે, શું આ જ હિન્દુત્વ છે?"

તેમણે આગળ લખ્યું કે સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજર અંદાજ કરવાનું પરિણામ 1- રામ મંદિરના સમસ્ત પૂજારી કોરોના વાયરસ પોઝિટિવ, 2- ઉત્તર પ્રદેશના મંત્રી કમલ રાની વરુણ કોરોનાથી સ્વર્ગવાસ, 3- યુપીના ભાજપ અધ્યક્ષ (સ્વતંત્ર દેવ સિંહ) કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં, 4- ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ, 5- મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી (શિવરાજ સિંહ ચૌહાણ) અને ભાજપ મધ્યપ્રદેશ અધ્યક્ષ (વિષ્ણુ દત્ત શર્મા) કોરોનાને કારણ હોસ્પિટલમાં, 6- કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી (યેદિયુરપ્પા) કોરોનાથી હોસ્પિટલમાં છે. 

દિગ્ગીરાજાએ કહ્યું કે પીએમ તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરીને હજુ કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માંગો છો? યોગી આદિત્યનાથ તમે જ મોદીજીને સમજાવો. તમે છો ત્યાં સુધી સનાતન ધર્મની તમામ મર્યાદાઓને કેમ તોડવામાં આવી રહી છે? અને તમારી એવી તો શું મજબૂરી છે કે તમે આ બધુ થવા દઈ રહ્યાં છો.

તેમણે કહ્યું કે હવે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મંત્રીની કોરોના વાયરસથી મોત થઈ ગઈ. ભારતના ગૃહમંત્રી કોરોના વાયરસ પોઝિટિવ થયા. આવા સંજોગોમાં શું યુપીના મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનંમત્રીએ ક્વોરન્ટાઈન ન થવું જોઈએ? શું ક્વોરન્ટાઈન થવાનો નિયમ માત્ર સામાન્ય માણસ માટે જ છે. ક્વોરન્ટાઈનનો સમય 14 દિવસનો હોય છે. 

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે હું મોદીજીને ફરી એક વખત અનુરોધ કરું છે કે પાંચ ઓગસ્ટનું અશુભ મુહૂર્ત ટાળી દો. સેંકડો વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન રામ મંદિર નિર્માણનો યોગ આવ્યો છે. પોતાની હઠધર્મીતાથી તેમાં વિઘ્ન પડવાથી રોકો. ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો વર્ષોની અમારા ધર્મની સ્થાપિત માન્યતાઓની સાથે ખેલ ન કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Ram temple digvijay singh Ram Temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ