બ્રેકિંગ ન્યુઝ
રજનીકાંતે મોદી અને શાહની જોડીની સરખામણી અર્જુન અને શ્રી ક્રૃષ્ણ સાથે કરી છે. ચાલુ વર્ષે જ મોદી સરકારે જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યો છે. જે બાદ હાલ ઘાટીમાં શાંતિ જોવા મળી રહી છે. બીજી તરફ સરકારે જમ્મૂ-કશ્મીરમાં લગાવેલી કલમ 144માંથી પણ લોકોને રાહત આપી છે.
ADVERTISEMENT
Rajinikanth in Chennai, earlier today: My heartfelt congratulations to Amit Shah for Mission Kashmir operation. The way you conducted it, especially the speech you delivered in Parliament was fantastic. Amit Shah ji and Modi ji are like Krishna-Arjuna combination. pic.twitter.com/NPMtFKYGMm
— ANI (@ANI) August 11, 2019
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, એક કાર્યક્રમ દરમિયાન રજનીકાંતે કહ્યું હતું કે, દેશના ગૃહ પ્રધાન અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આ મિશનને પુર્ણ કર્યુ તે ખરેખર કમાલનું હતું. ખાસ કરીને તમે સંસદભવનમાં ભાષણ આપ્યું તે મહત્વનું અને જબરદસ્ત હતુ.
.jpg)
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે આ વાતનો ઉલ્લેખ ચેન્નાઈ ખાતે આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કરી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના બે વર્ષ પૂરા થવા પર 'Listening, Learning & Leading' ટાઈટલવાળા પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ.
Launched a book 'LISTENING, LEARNING & LEADING’...A chronicle of the Hon'ble Vice President of India, Shri @MVenkaiahNaidu ji's two years in office.
— Amit Shah (@AmitShah) August 11, 2019
Venkaiah ji’s life is a lesson to our young generation that how to listen, learn and lead the society. pic.twitter.com/ErOn41E3Ut
ADVERTISEMENT
આ વિમોચન ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તકમાં નાયડુના બે વર્ષના કાર્યકાળના વૃતાંતનો ઉલ્લેખ કરાયો છે. પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન જળવાયુ પરિવર્તન અને સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા થઈ રહ્યું છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને કલમ 370ને ખતમ કરી દીધી છે. આ નિર્ણયને આખા દેશે વધાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.