બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 PM, 10 May 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. આજે ૧૦ મેની મોડી રાત્રે જામનગર ખાતે ઉતરાણ કરતાની સાથે જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં આયોજિત વિશાળ જનસભામાં લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોમાં વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ એટલો અજોડ હતો કે, અનેક લોકો 'દિલ સે મોદી' લખેલી ખાસ ઘડિયાળો પહેરીને તેમને આવકારવા ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી આજે રાત્રિ રોકાણ જામનગરમાં જ કરશે, જે બાદ આવતીકાલનો તેમનો કાર્યક્રમ આધ્યાત્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્વનો બની રહેશે.
ADVERTISEMENT
LIVE: PM Shri @NarendraModi addresses a public meeting in Jamnagar, Gujarat. https://t.co/t1NdXS2JxQ
— BJP Gujarat (@BJP4Gujarat) May 10, 2026
ADVERTISEMENT
આવતીકાલે 11 મેના રોજ સવારે 10.15 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પહોંચશે. આ અવસર ખાસ છે કારણ કે સોમનાથના પુનઃનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી 'સોમનાથ અમૃત મહોત્સવ' તરીકે કરવામાં આવી રહી છે. પીએમ મોદી અહીં ભગવાન સોમનાથની વિશેષ મહાપૂજા કરશે અને કુંભાભિષેક તથા ધ્વજારોહણ જેવી પવિત્ર વિધિઓમાં ભાગ લેશે. આ ઐતિહાસિક દિવસની યાદમાં તેઓ ખાસ ટપાલ ટિકિટ અને સ્મરણાત્મક સિક્કો પણ જાહેર જનતા માટે બહાર પાડશે. સોમનાથની આ મુલાકાત ભારતની સાંસ્કૃતિક ચેતનાને વધુ વેગ આપશે.
#WATCH | Gujarat | Prime Minister Narendra Modi gave an address in Gujarati at a public rally in Jamnagar.
— ANI (@ANI) May 10, 2026
(Source: DD News) pic.twitter.com/XGiYU00MhL
ADVERTISEMENT
સોમનાથમાં ભક્તિભાવ સાથે સમય વિતાવ્યા બાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગ્યે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. અહીં તેઓ પાટીદાર સમાજ અને અન્ય વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી ભવ્ય 'સરદારધામ હોસ્ટેલ'નું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક શૈક્ષણિક સંકુલમાં 1000 યુવકો અને 1000 યુવતીઓ માટે રહેવા-જમવાની વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ છે. પીએમ મોદી અહીં તૈયાર કરાયેલી હાઈટેક ઇ-લાઇબ્રેરી, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ ડાઇનિંગ હોલનું નિરીક્ષણ કરી રાજ્યના યુવાધનને પ્રેરિત કરશે.
ADVERTISEMENT
#WATCH | Gujarat | Prime Minister Narendra Modi felicitated as he takes the stage at a public rally in Jamnagar.
— ANI (@ANI) May 10, 2026
(Source: DD News) pic.twitter.com/jGTKldkrHX
ADVERTISEMENT
આમ, પ્રધાનમંત્રીનો આ બે દિવસીય પ્રવાસ શ્રદ્ધા, શક્તિ અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.