બ્રેકિંગ ન્યુઝ
જે દેશ લોકોને માખીઓથી બચાવી શકતો નથી અને યુદ્ધની વાતો કરે છે
ADVERTISEMENT
હકીકતમાં પાકિસ્તાન ખુદ પોતાના સિંધ પ્રાંતમાં લોકોને માખીઓથી બચાવી શકતું નથી. આવામાં વિચારો કે જે દેશ લોકોને માખીઓથી બચાવી ન શકે તે પરમાણુ યુદ્ધની ધમકીઓ આપે તે કેટલું માનવામાં આવે.

ADVERTISEMENT
માખીનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં
પાકિસ્તાનના સિંધ પ્રાતમાં માખીઓથી લોકો એટલી હદે પરેશાન છે કે આ મામલો ન માત્ર વિધાનસભામાં ઉઠ્યો પરંતુ આ માખીઓથી મુક્તિ મેળવવા માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી. અખબાર 'જંગ'ના રિપોર્ટ અનુસાર આ જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
માખીના ખાત્મા માટે વિધાનસભા સ્પીકરે કરાવી દુઆ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય નુસરત સહર અબ્બાસીએ કહ્યું કે જે રીતે સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે વરસાદ આવે તો પાણી આવે જ. એ રીતે જ નિવેદન અપાયું કે જ્યારે વરસાદ આવે તો માખીઓ પણ આવે જ. કરાચીથી કાશ્મોર સુધી રાજ્યમાં દરેક જગ્યાએ માખીઓએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાંખ્યું છે. જેના ખાત્મા માટે વિધાનસભા અધ્યક્ષે દુઆ કરાવી.
ADVERTISEMENT

કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ
ADVERTISEMENT
અખબારના રિપોર્ટ અનુસાર એક અન્ય ધારાસભ્ય રાણા અનસારે કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ કરી અને તેનાથી છૂટકારા માટે વિશેષ દુઆ કરવાની વિનંતી કરી. જ્યારે ધારાસભ્ય ખુર્રમ શેર જમાને કહ્યું કે ઈદ ઉલ અજહામાં જાનવરોની કુરબાની અને વરસાદ બાદ કરાંચીમાં હાલત ખરાબ થઈ ગઈ છે. બીમારીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી જણાવે છે કે તેમણે આ સમસ્યાના નિવારણ માટે શું પગલાં લીધાં. જ્યારે સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે પ્રદેશમાં ફૉગિંગની શરૂઆત કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.