બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બોયકોટથી પાકિસ્તાન પણ પરેશાન, સલમાન આગાએ કહ્યું- અમે બહારની વાતો પર ફોકસ નહીં કરીએ

ક્રિકેટ / બોયકોટથી પાકિસ્તાન પણ પરેશાન, સલમાન આગાએ કહ્યું- અમે બહારની વાતો પર ફોકસ નહીં કરીએ

Nirav Kumar

Last Updated: 01:16 AM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત સામેની મેચનો બોયકોટ બાબતે નિવેદન આપ્યું છે. તેને જણાવ્યું કે, અમે એ વિષે વાત કરવા નથી માંગતા અને અમારી ગેમ પર ફોકસ કરીશું.

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ શુક્રવારે કહ્યું હતું કે તેમની ટીમ ભારત સામેની મેચનો બોયકોટ કરવા માટે બહારના અવાજને અવોઈડ કરશે અને T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજમાં બધી મેચ જીતીને સુપર 8માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાને 2009 માં ટાઇટલ જીત્યું હતું. પાકિસ્તાને બાંગ્લાદેશ ટીમના લીધે 15 ફેબ્રુઆરીએ ભારત સામે ગ્રુપ મેચ રમવાનો ઇનકાર કર્યો છે.

જ્યારે સલમાન આગાને પૂછવામાં આવ્યું કે, તે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશે, ત્યારે સલમાને પત્રકારોને કહ્યું, "તેના પર ધ્યાન ન આપીને. એક ટીમ તરીકે, અમે તેના વિશે વાત કરતા નથી અને ટીમની બહાર બનતી બાબતોને જોતા નથી. અમે માત્ર એટલું જ કરી શકીએ છીએ. અમે તેને અવોઈડ કરીશું અને અમારા પરફોર્મ પર ફોક્સ કરીશું."

ગયા સપ્ટેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમોએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતામાં ઇન્ટરનેશનલ મેચોમાં પાકિસ્તાની ટીમો સાથે હાથ ન મિલાવવાની રણનીતિ અપનાવી હતી. જે અંગે સલમાને કહ્યું કે, "અમને દુઃખ નથી થતું પરંતુ તે ગેમ માટે સારું નથી. આવી બાબત ન થવી જોઈએ."

તેને એમ પણ કહ્યું કે, "નાનપણથી જ મેં લોકોને ગેમ સુધારવાનો પ્રયાસ કરતા જોયા છે. અમે રોલ મોડેલ છીએ. જો તમે આવું કરશો તો કાલે છોકરાઓ પણ એવું જ કરશે. તેથી જ મને લાગે છે કે આવી વસ્તુઓ ન થવી જોઈએ. રોલ મોડેલો આવું ન કરે." ભારત સામેની મેચના બોયકોટને કારણે પાકિસ્તાન બે પોઈન્ટ ગુમાવશે, એટલે કે સુપર 8માં ક્વોલિફાય થવા માટે તેમને બાકીની બધી મેચ જીતવી પડશે. આ ગ્રુપમાં નેધરલેન્ડ્સ, યુએસએ અને નામિબિયા સાથે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

vtv app promotion

તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટીમ જીતવા માટે પ્રેશરમાં છે ત્યારે સલમાને કહ્યું કે, "કોઈ પ્રેશર નથી કારણ કે ICC ટુર્નામેન્ટમાં દરેક મેચ જીતવી પડે છે. અમે અહીં એવું વિચારીને આવ્યા હતા કે અમે અમારી બધી મેચ જીતીશું." ભારત-પાકિસ્તાન મેચોને લગતા વિવાદ અંગે તેને કહ્યું કે, "છેલ્લી બે ટુર્નામેન્ટમાં અમને ક્રિકેટ સિવાયની બીજી બાબતો વિશે પૂછવામાં આવ્યું હતું જે સારું નથી."

વધુ વાંચો : BCCI એ હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, આ ખતરનાક બોલરની ટીમ ઈન્ડિયામાં વાપસી

આ સિવાય તેને એમ પણ કહ્યું કે, "અમે અહીં પ્લેયર્સ તરીકે અને ક્રિકેટ રમવા અને ક્રિકેટ વિશે વાત કરવા આવ્યા હતા." તેના પર ફોકસ કરવું બેસ્ટ છે. એક ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે અમે પ્રયાસ કરીએ છીએ કે આ બાબતો અમને અસર ન કરે. તે અમારા અને અમારી ગેમ રમત માટે સારું છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Captain Salman Ali Agha T20 World Cup
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ