બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
VTV / ભારત / Politics / 'મુસલમાન સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ કરે છે', અસદુદ્દીન ઓવેસી આવું કેમ બોલ્યા, ડેટા પણ જાહેર કર્યો
Last Updated: 08:22 PM, 28 April 2024
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ઓવૈસીએ આ વાત કહી છે. ઓવૈસીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી હજુ પણ હિંદુઓમાં ડર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કે મુસ્લિમ ટૂંક સમયમાં બહુમતી બની જશે. તેમણે કહ્યું, ક્યાં સુધી તમે મુસ્લિમો વિશે ડર ફેલાવશો. અમારો ધર્મ અલગ છે પરંતુ અમે પણ આ દેશના રહેવાસી છીએ.
મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છેઃ ઓવૈસી
ઓવૈસીએ કહ્યું, તમે નફરતની દીવાલ કેમ બનાવી રહ્યા છો? તમે શા માટે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છો કે મુસ્લિમો વધુ બાળકો પેદા કરે છે? મોદી સરકારના આંકડા મુજબ મુસ્લિમોની વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ કહેતા મને કોઈ શરમ નથી.
બહુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃ ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે આ મારો ડેટા નથી પરંતુ મોદી સરકારનો ડેટા છે. પરંતુ નરેન્દ્ર મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે. તેઓ બહુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવા માંગે છે કે મુસ્લિમોનો જન્મ દર સૌથી વધુ છે.
આ પણ વાંચોઃ ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ
દેશના વડાપ્રધાન 15 ટકા વસ્તીને ઘૂસણખોરો કહે છેઃ ઓવૈસી
પીએમ મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહ સરકારે કહ્યું હતું કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું કે દેશના વડાપ્રધાન 15 ટકા વસ્તીને ઘૂસણખોરો કહે છે. આનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આ પછી, ચૂંટણી પેનલે બીજેપી અધ્યક્ષને નોટિસ જારી કરીને તેમના સ્ટાર પ્રચારકોને જણાવવા કહ્યું કે તેમની પાસેથી કેવા પ્રકારના ભાષણની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT