બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 PM, 25 May 2024
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા ગ્રાન્ડ પ્રિક્સ વેડિંગ ફંક્શન બાદ હવે અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે આ કપલના લગ્ન લંડનમાં મુકેશ અંબાણીની પ્રોપર્ટી સ્ટોક પાર્ક એસ્ટેટમાં થશે. પરંતુ નવી વિગત મુજબ બંને લગ્નના 7 ફેરા મુંબઈમાં જ લેશે. તેમના લગ્ન સાથે જોડાયેલી ઘણી નવી માહિતી પણ સામે આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પરિવારના સૌથી નાના પુત્રના લગ્નને યાદગાર બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ ફંક્શન બાદ તમામની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે. લગ્ન સ્થળને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન મુંબઈમાં 10 થી 12 જુલાઈ વચ્ચે યોજાશે. હિંદુ રીતિ-રિવાજ મુજબ યોજાનાર આ લગ્નનો શુભ સમય અનંત અને રાધિકાની કુંડળીના મેળના આધારે નક્કી કરવામાં આવશે. આ ત્રણ દિવસની અંદર બંનેની પીઠી, મહેંદી સેરેમની અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ પછી લગ્ન અને રિસેપ્શન પણ મુંબઈમાં જ થશે. આ લગ્ન સમારોહ 'Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર' અને અંબાણી પરિવારના ઘર 'Antilia' ખાતે યોજાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પારિવારિક ધાર્મિક વિધિઓ ઘરે જ થશે અને રિસેપ્શન કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.
વધુ વાંચો : સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ, ભાવમાં ધરખમ ઘટાડો, લેવાનું વિચારતા હોય તો જાણો લેટેસ્ટ રેટ
હવે આ બંનેની બીજી પ્રી-વેડિંગ સેરેમની ક્રુઝ શિપ પર ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ શિપ 28મી મેની સાંજે અથવા 29મી મેની સવારે ઈટાલીથી રવાના થશે. 3 દિવસમાં દરિયામાં લગભગ 4400 કિમીની મુસાફરી કર્યા બાદ તે દક્ષિણ ફ્રાન્સ થઈને સ્વિટ્ઝર્લેન્ડ પહોંચશે. આ વખતે ક્રુઝ શિપમાં 300 VIP અને સ્ટાફ સહિત કુલ 800 લોકો મુસાફરી કરશે. આ વખતે ફરી એકવાર શાહરૂખ, સલમાન, આમિર, આલિયા અને રણબીર કપૂર જેવી સેલિબ્રિટીઓ પ્રી-વેડિંગમાં ભાગ લે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં વિશ્વની અનેક પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લેશે. માર્ચમાં મુકેશ અંબાણીએ ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. માર્ક ઝકરબર્ગથી લઈને બિલ ગેટ્સે તેમાં ભાગ લીધો હતો. કેનેડા, સ્વીડન અને કતારના ઘણા રાજકારણીઓ, ભૂટાનના રાજા અને રાણી અને ઇવાન્કા ટ્રમ્પે પણ હાજરી આપી હતી. જ્યારે રિહાન્નાથી માંડીને દિલજીત દોસાંઝ, શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન સુધીના પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. જ્યારે રિલાયન્સ ગ્રૂપે આ જ પ્રસંગે ‘વનતારા’ પણ લોન્ચ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.