બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લાઇફમાં સફળ થવું હોય તો આ 6 વાતો ક્યારેય કોઇને ન કહેતા, નહીંતર પસ્તાશો

ચાણક્ય નીતિ / લાઇફમાં સફળ થવું હોય તો આ 6 વાતો ક્યારેય કોઇને ન કહેતા, નહીંતર પસ્તાશો

Last Updated: 10:20 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં સફળ થવા માટે ચાણક્યનીતિ ખૂબ કામમાં આવે છે. ચાણક્ય દ્વારા સમાજ જીવન અને રાજનીતિ દરેક બાબતે પોતાના વિચાર રજૂ કરવામાં આવ્યા હતા. જો તમારે સફળ થવું હોય તો નીચે જણાવેલ બાબતો હંમેશા બીજાથી છૂપાવીને રાખો.

ચાણક્ય કૂટનિતિજ્ઞ અને યોગ્ય સલાહકાર પણ હતા. તેમને દરેક ક્ષેત્રમાં પોતાના વિચાર રજૂ કર્યા છે. જેમાં ધર્મ, રાજનીતિ, સમાજ, પરિવાર સહિતના વિષય સામેલ છે. જો તેમના વિચાર પર ચાલવામાં આવે તો જીવન સફળ થઈ શકે છે. જો તમારે સફળ થવું હોય તો ચાણક્યનીતિ અનુસાર 6 બાબતો એવી છે જેને હંમેશા છૂપાવીને રાખવી જોઈએ.

સિદ્ધ ઔષધિ

સિદ્ધ કરવામાં આવેલી ઔષધિથી જ્યારે લોકો વ્યવસાય ઊભો કરવાનું વિચારે છે ત્યારે તેનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. જો તમે કોઈ દવાનું સેવન કરો છો તો તેને પણ ગોપનીય રાખવું. એવી પણ માન્યતા છે કે જો તમે દારૂ પીવો છો તો તેની પણ ગોપનીયતા રાખવી. લોકોને તમારા દારૂ પીવાની જાણ થઈ જાય છે ત્યારથી તમારું પતન શરૂ થઈ જાય છે.

ધર્મ

તમે જે ધર્મને માનતા હોય તેના વિશે કોઈને જણાવવું ના જોઈએ. તમારે એનું પાલન જ કરવું જોઈએ. કેમ કે ધર્મ વ્યક્તિગત બાબત છે તેને ગુપ્ત રાખવો જોઈએ. જેમ દાન ગુપ્ત રીતે કરવાનો મહિમા છે કેમ કે લોકોને જણાવીને કરેલા દાનનું પુણ્ય મળતું નથી. પોતાની પત્નીને પણ તમારા દાનની વાત ન જણાવવી જોઈએ.

ઘરની ખામીઓ

દરેક ઘર પરિવારમાં કોઈને કોઈ ખામી હોય છે. જો તમે તમારા ઘરની ખામી બીજાને જણાવતા ફરશો તો તેનાથી તમારી બદનામી થશે અને સાથે લોકો તેનો ફાયદો પણ લઈ શકે છે. આથી તમારા ઘરની ખામી હંમેશા છુપાવીને રાખો. જો તમે તમારા કોઈ મિત્રને આ વાત જણાવો છો તો પરિવારના સભ્યોમાં મનદુઃખ થઈ શકે છે. સાથે તમારા ઘરના રાજ ધીમે ધીમે લોકો જાણતા થઈ શકે છે. ઘરની ખામી બીજાને કહેવાથી તમારી કમજોરી પ્રદર્શિત થાય છે.

દાંપત્ય સુખ

તમારા દાંપત્ય જીવન અને પરિવારની વાતો હંમેશા ગોપનીય રાખો. દાંપત્ય જીવનની વાતો હંમેશા પતિ પત્ની વચ્ચે જ રહેવી જોઇએ. પતિ પત્ની વચ્ચેની વાત બીજાને કહેવાથી એ સાબિત થાય છે કે તમે અસભ્ય અને વિશ્વાસઘાતી છો.

PROMOTIONAL 13

સાંભળેલી વાતો

જો તમે કોઈના વિશે ખરાબ વાત સાંભળી હોય તો તે વાત કોઈને ન કહો. આમ કરવાથી તમારી પ્રતિષ્ઠા પર ડાઘ લાગી શકે છે.

વધુ વાંચો: ભૂલથી પણ શનિવારે આ 5 ચીજો ન ખરીદતા, નહીંતર ફાયદો નહીં, નુકસાન ભોગવવું પડશે

ભૂલથી જમેલું ભોજન

જો તમે ભૂલથી કોઈ એવી ખાવાની વસ્તુ ખાધી હોય જે તમારા સમાજમાં પ્રતિબંધિત હોય તો તેને પણ ગોપનીય રાખવું જોઈએ. નહીં તો તમારી પ્રતિષ્ઠા ઓછી થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kautilya Niti Social Science Chanakya Niti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ