બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / સિક્કિમ ભૂસ્ખલન દુર્ઘટનાને લઇને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, ગુજરાતના 30થી વધુ પ્રવાસીઓ સહી સલામત
Last Updated: 12:08 PM, 17 June 2024
Sikkim Landslide Disaster : સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામ ખાતેના દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં હવે સિક્કીમમાં ફસાયેલ ગુજરાતી પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હરકતમાં આવ્યા છે.
ADVERTISEMENT

વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.
ADVERTISEMENT

રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી. જોકે ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે. લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદના અટલ બ્રિજ પર તૂટ્યાં 2 ગ્લાસ, બેરિકેડ મૂકીને જગ્યા કરાઇ કોર્ડન
હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.