બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / કોઈએ દીકરો ગુમાવ્યો તો કોઈએ વહાલસોઈ દીકરી, અગ્નિકાંડમાં કેટલાય પરિવાર વિખેરાયા

રાજકોટ અગ્નિકાંડ / કોઈએ દીકરો ગુમાવ્યો તો કોઈએ વહાલસોઈ દીકરી, અગ્નિકાંડમાં કેટલાય પરિવાર વિખેરાયા

Priyakant

Last Updated: 01:06 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Game Zone Fire Latest News : રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ ધ્રોલ ગામનો યુવક લાપતા, ગેમિંગ ઝોનમાં કામ કરતા મહિલાકર્મીનું મોત

Rajkot Game Zone Fire : રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન આ દુર્ઘટનામાં ધ્રોલ ગામનો યુવક લાપતા થયો હોવાનું સામે આવ્યું છે. યુવકનો કોઇ પતો ન લાગતાં વિવશ પરિવારજનો ચોધાર આંસૂએ રડી પડ્યા છે. રાજકોટના TRP અગ્નિકાંડમાં ગેમિંગ ઝોનના કર્મચારીઓ પણ હોમાયા હોવાનું ખૂલ્યું છે. વિગતો મુજબ ગેમિંગ ઝોનમાં કામ કરતા આશાબેન કાથડ નામના મહિલાકર્મીનું પણ મોત થયું છે.

રાજકોટના TRP અગ્નિકાંડમાં નવી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ધ્રોલ ગામનો સુરપાલસિંહ જાડેજા ગુમ થયો હોવાનું ખૂલ્યું છે. સુરપાલસિંહનો કોઇ પતો ન લાગતાં વિવશ પરિવારજનો ચોધાર આંસૂએ રડી રહ્યા છે. વિગતો મુજબ કોલેજમાં અભ્યાસ કરતો સુરપાલસિંહ ગેમિંગઝોનની આગ બાદ લાપતા હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે અગ્નિકાંડમાં લાપતા બનેલા લોકોના પરિવારજનોની વિવશ સ્થિતી જોવા મળી રહી છે.

ગેમિંગ ઝોનના કર્મચારીઓ પણ હોમાયા

રાજકોટના TRP અગ્નિકાંડમાં ગેમિંગ ઝોનના કર્મચારીઓ પણ હોમાયા છે. વિગતો મુજબ ગેમિંગ ઝોનમાં કામ કરતા આશાબેન કાથડ નામના મહિલાકર્મીનું મોત થયું છે. ગઇકાલે સાંજના સમયે ગેમિંગ ઝોનમાં કામ કરતા આશાબેન આગ લાગ્યા બાદ બહાર નીકળી શક્યા ન હતા. આગમાં દીકરીનો ભોગ લેવાતાં પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો : રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

હાઇકોર્ટે કહ્યું, આ માનવસર્જિત આપત્તિ

રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. આ દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત આપત્તિ છે. નોંધનિય છે કે, હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો લીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Game Zone Fire Rajkot Game Zone Fire Incident TRP Game Zone fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ