બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પગના તળિયામાં થતી બળતરાથી છો પરેશાન, કારણો જાણી ઇલાજ કરશો તો મળશે ઝડપી રાહત
Last Updated: 02:47 PM, 26 May 2024
પગના તળિયામાં બળતરાથી ઘણી પરેશાનીઓ થાય છે. પગના તળિયા ગરમ થઈ જવા, સુન્ન પડી જવા, કળતર થવી, ઝણઝણાટી થવી જેવી સમસ્યાઓ આવે છે. ખાસ કરીને રાતે આ સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં તળિયામાં થતી આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પહેલા તેનું કારણ જાણવું જરૂરી છે. જેથી તળિયામાં થતી બળતરાનો ઉપાય કરી શકાય.
ADVERTISEMENT
વિટામિન બીની ઉણપ - પોષક તત્વોની ઉણપને કારણે પણ પગમાં થાય છે. આજકાલ મોટાભાગના લોકો વિટામિન B12, વિટામિન B6, વિટામિન B9 એટલે કે ફોલેટની ઉણપથી પીડાય છે. આ વિટામિન્સની ઉણપને કારણે તળિયામાં બળતરા થાય છે. જેના કારણે પગ અને સ્નાયુઓ વચ્ચે તાલમેલનો અભાવ રહે છે.
ADVERTISEMENT
એનિમિયા - શરીરમાં રેડ બ્લડ સેલ્સની ઉણપથી એનિમિયા થાય છે જે વિટામિન બીની ઉણપને કારણે જ થાય છે. બીજી તરફ, જો એનિમિયાની સાથે નબળાઈ, સુસ્તી અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તે વિટામિન બીની ઉણપનો સંકેત છે.
હાઇપોથાઇરોઇડ - થાઇરોઇડ ગ્રંથિની ઓછી સક્રિયતાને કારણે, થાઇરોઇડ હોર્મોન્સ શરીરમાં અસંતુલિત થઈ જાય છે. જેના કારણે નર્વ ડેમેજ થાય છે. 2016ના એક અભ્યાસ મુજબ, પગમાં બળતરાની સમસ્યા થાઈરોઈડ ગ્રંથિ સક્રિય ન હોવાને કારણે થાય છે.
ડાયાબિટીક ન્યુરોપથી - જો લાંબા સમય સુધી બ્લડ સુગર નિયંત્રણમાં ન રહે તો તેનાથી રક્તવાહિનીઓને નુકસાન થાય છે. જેના કારણે તેને સિગ્નલ મળવાનું બંધ થઈ જાય છે અને ઝણઝણાટી થાય છે.
વધુ વાંચો: ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓને હીટ સ્ટ્રોકનો વધુ ખતરો, બચવા માટે ધ્યાનમાં રાખો આ લક્ષણો
કિડની રોગ - જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે લોહીમાં ઝેરી તત્વો બનવા લાગે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેમાંથી એક પેરિફેરલ ન્યુરોપથી છે જેમાં પગમાં બળતરા થાય છે. કિડનીની બિમારીથી પીડિત દસ ટકાથી વધુ લોકોને પગના નીચેના ભાગમાં સોજો અને બળતરા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.