બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / કિર્ગિસ્તાનમાં ગુજરાતના 500થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર સાથે આપી જરૂરી સલાહ
Last Updated: 02:37 PM, 23 May 2024
કિર્ગિસ્તાનમાં સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ અને હિંસાની ઘટનાને લઈને રાજધાની બિશ્કેકમાં ભારે વિવાદ થયો છે. જેને લઈને છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી ભારત પરત ફરી રહ્યા છે. તેવામાં બનાસકાંઠાના પણ 8 વિદ્યાર્થીઓ આવતીકાલે અમદાવાદ પરત ફરી રહ્યા છે. ભોજન-પાણીની તંગી વચ્ચે હિંસાથી બચવા માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ADVERTISEMENT
જો કે બુધવારે મોટી સંખ્યામાં પોલીસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને સહીસલામત પ્રોટેક્શમાં એરપોર્ટ પહોંચાડાતાં વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે. તેવામાં શુક્રવારે બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓને લઈને કિર્ગિસ્તાનથી ફ્લાઇટ અમદાવાદ પહોંચશે. વિદ્યાર્થીઓના ચિંતિત માતાપિતાએ હાલ ગમે તે ભોગે ભારત પરત આવી જવાનું જણાવતાં મોટાપાયે ગુજરાતી વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી રહ્યા છે.
શિક્ષણ માટે ગયેલ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફસાયેલા છે. MBBSના અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ 12 દિવસથી ફસાયા છે. ત્યારે ચિંતિત માતા પિતાએ પોતાના બાળકોને પરત બોલાવી લીધા છે અને આવતીકાલે વિદ્યાર્થીઓ વતનમાં પરત ફરશે. નોંધનીય છે કે ગુજરાતના 500 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરે છે. છેલ્લા 12 દિવસથી કિર્ગિસ્તાનમાં હિંસા ભડકેલી છે અને વિદ્યાર્થીઓ સાથે મોબાઈલની લૂંટ અને અન્ય ચીજ વસ્તુઓની લૂંટ ચલાવી રહી છે. અહીં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કિર્ગિસ્તાનમાં હિંસા બાદ ભારતીય એમ્બસીએ જારી કરી હેલ્પલાઈન
Situation in Bishkek is normal. All Indian students are safe. They are requested to continue to follow the guidelines prescribed by authorities in the Kyrgyz Republic. In case of any issue, students can contact the Embassy at 0555710041.
— India in Kyrgyz Republic (@IndiaInKyrgyz) May 19, 2024
કિર્ગિસ્તાનમાંથી ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અહીં વિદેશી વિદ્યાર્થીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. બિશ્કેકમાં ભારતીય એમ્બસીએ રવિવારે કહ્યું હતું કે ત્યાં સ્થિતિ હવે સામાન્ય છે અને ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. એક્સ પર એક પોસ્ટમાં દૂતાવાસે લખ્યું હતું કે "બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય છે. તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે."
Situation in Bishkek continues to remain normal. Students are, however, advised to remain vigilant and follow the guidelines laid down by the authorities in Kyrgyz Republic. In case of any issue, students can contact the Embassy at 0555710041, 0555005538 @MEAIndia
— India in Kyrgyz Republic (@IndiaInKyrgyz) May 21, 2024
ભારતીય એમ્બેસીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમને કિર્ગીઝ રિપબ્લિકમાં અધિકારીઓ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું ચાલુ રાખવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં, વિદ્યાર્થીઓ 0555710041 પર એમ્બેસીનો સંપર્ક કરી શકે છે. સાથે જ કિર્ગિસ્તાનમાં ભારતીય એમ્બસીએ ભારતીય વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવા અને ભારતીય એમ્બસીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
વધુ વાંચો: 'કિર્ગિસ્તાનમાં ભારે અંધાધૂંધી છે હાલમાં..' વીડિયોકોલથી સુરતની રિયાએ જણાવી ગ્રાઉન્ડની સ્થિતિ
અગાઉની એક પોસ્ટમાં, કિર્ગિસ્તાનમાં ભારતીય એમ્બસીએ જણાવ્યું હતું કે, "અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યારે ઘરની અંદર જ રહે અને કોઈ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરો. અમારો 24x7 સંપર્ક નંબર 0555710041 છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.