બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:16 PM, 25 May 2024
હિન્દુ પંચાંગ અનુસાર શનિ જયંતી દર વર્ષે જેઠ મહિનાની અમાસના રોજ આવે છે. આ વર્ષની શનિ જયંતી 6 જૂન ગુરુવારે આવશે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની વિશેષ પૂજા કરવાની માન્યતા છે. જો તમે શનિ દેવની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો આ દિવસે કેટલાક કર્યો જરૂરથી કરવા જોઈએ.
ADVERTISEMENT
શનિ જયંતિના દિવસે શનિની કૃપા પ્રાપ્ત કરો
શનિ જયંતીના રોજ તેમની પૂજા કરવાથી શનિની કૃપા તમારી પર બની રહે છે. સાથે ઘર પરિવારમાં સુખ શાંતિ પણ આવે છે. શનિ દેવને પ્રસન્ન કરવા આ દિવસે તમે જ્યોતિષમાં જણાવેલ કેટલાક આસાન ઉપાયો કરો છો તો જીવનમાંથી દુઃખ દર્દો દૂર થાય છે.
ADVERTISEMENT
કપૂરને કાળા કપડામાં બાંધી લટકાવો
ઘરમાંથી રાહુનો નકારાત્મક પ્રભાવ દૂર કરવા અને કુંડળીમાંથી શનિનો દોષ દૂર કરવા તમારે શનિ જયંતીના રોજ તમારા ઘરના છતના દરવાજા પર કપૂરને કાળા કપડામાં બાંધીને લટકાવી દેવું. ત્યાર બાદ સાંજે સૂર્યાસ્ત વખતે તેને સળગાવી દેવું. આ ઉપાય કરતી વખતે તમારા પર કોઈની નજર ન પડવી જોઈએ.
કાગડાઓને રોટલી ખવડાવવી
શનિ જયંતીના રોજ ભગવાન શંકર અને શનિ દેવની કૃપા મેળવવા માટે કાગડાઓને રોટલી આપવી જોઈએ. કાગડા શનિ દેવને ખૂબ પ્રિય પણ છે અને તેનું વાહન પણ છે. જેથી આ દિવસે કાગડાઓને રોટલી ખવડાવવી અને તેમના માટે પાણી ભરીને રાખવું.
આ રીતે થાય છે બાધાઓ દૂર
જો જીવનમાંથી બાધાઓ દૂર કરવી હોય તો શનિ જયંતીના એક દિવસ પહેલા એક કટોરીમાં સરસવનું તેલ લઈને રાખી દેવું. ત્યાર બાદ આ તેલમાં થોડા કાળા તલ નાખો અને તેને ખીજડાના ઝાડ નીચે રાખી દો. અને શનિ જયંતીના રોજ એજ તેલથી દીપક પ્રગટાવવો.
Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.