બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:28 PM, 26 May 2024
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની ચાલ બદલાવાથી રાશિઓ પર અસર પડે છે તથા જુદા જુદા યોગ રચાય છે. વૈદિક જ્યોતિષમાં કેટલાય શુભ યોગ બને છે, જેમાંથી એક મુખ્ય યોગ છે લક્ષ્મી નારાયણ યોગ. આ યોગ શુક્ર અને બુધની યુતિથી રચાય છે. જણાવી દઈએ કે શુક્ર ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને 31 મેએ બુધ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનાથી લક્ષ્મી નારાયણ યોગ રચાશે. જયારે આ યોગની અસરથી 3 રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સાથે જ કારકિર્દી અને વેપારમાં સફળતા મળી શકે છે. ચાલો જાણીએ એ કઈ રાશિઓ છે કે જેને આ યોગથી લાભ થવાનો છે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં લાભની ઘણી સુવર્ણ તકો મળશે અને કમાણીના નવા રસ્તાઓ પણ ઉપલબ્ધ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે પણ સંબંધો બનાવશો. જેનો ભવિષ્યમાં ફાયદો થશે. તેમજ પરિણીત લોકોનું આ સમયે વૈવાહિક જીવન સુખી રહેશે. અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
સિંહ રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગનું રચાવું સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળશે. ઉપરાંત, આ સમય દરમિયાન વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ઘણા ફાયદા થશે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે. આ ઉપરાંત પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને મિલકત અને વાહન ખરીદવાની ઈચ્છા પણ પૂર્ણ થશે. વેપારી વર્ગ સાથે જોડાયેલા લોકોને પણ સારો નાણાકીય લાભ મળી શકે છે.
વધુ વાંચો: ગ્રહ દોષથી છુટકારો મેળવવા શનિ જયંતી પર કરો આ ખાસ ઉપાય, જીવનમાં આવતી બાધાઓ થશે દૂર
કર્ક રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ કર્ક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના આવકના સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળશે. આ સાથે, તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવામાં સફળ થશો અને ઘણા ક્ષેત્રોમાંથી નાણાકીય લાભ થવાની સંભાવના છે. આ સમયે તમને રોકાણથી પણ ફાયદો થશે. આ ઉપરાંત, નાણાકીય લાભની ઘણી તકો મળશે અને બેંક બેલેન્સ વધશે. જે ક્ષેત્રમાં કામ કરશો તેમાં સફળતા મળશે. આ સમયે, શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં સારો ધનલાભ મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.