બ્રેકિંગ ન્યુઝ
VTV / Omicron driven third wave in India likely to peak in Feb: Covid Supermodel Panel
ADVERTISEMENT
ઓમિક્રોન ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવશે તે અંગે હવે નિષ્ણાંતોમાં બેમત રહ્યો નથી. નેશનલ કોવિડ-10 સુપરમોડલ સમિતિના પ્રમુખ વિદ્યાસાગરે કહ્યું કે ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવશે અને ફેબ્રુઆરીમાં પીક પર હશે. તેમણે કહ્યું કે જોકે મોટા પાયા પરની રોગ પ્રતિકાર શક્તિને કારણે ત્રીજી લહેર હળવી રહેશે.
.jpg)
ADVERTISEMENT
જનતાનો એક નાનો હિસ્સો હજુ વાયરસના સંપર્કમાં આવ્યો નથી
તેમણે કહ્યું કે અત્યારે આપણે દરરોજ લગભગ 7,500 કેસનો સામનો કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીરો-સર્વે અનુસાર એક નાનો અંશ બાકી છે જે ડેલ્ટા વાયરસના સંપર્કમાં આવ્યો નથી. હવે આપણી પાસે 75 ટકાથી 80 ટકા (પ્રિ-એક્સપોઝર), પુખ્ત વયના લોકો માટે 85 ટકા પ્રથમ ડોઝ, પુખ્ત વયના લોકો માટે 55 ટકા બંને ડોઝ અને 95 ટકા રોગચાળાની પહોંચ છે. તેનો અર્થ એ છે કે જનતાનો માત્ર એક નાનો ભાગ વાયરસના સંપર્કમાં આવ્યો નથી.
ADVERTISEMENT
ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો રોજના 14 લાખ કેસ આવી શકે
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું કે જો ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો અહીં રોજના 14 લાખ કેસ આવી શકે છે. ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાઈ રહેલા ગંભીર કોરોના સંક્રમણને લઈને એક ડરામણી ચેતવણી આપતા પૌલે જણાવ્યું કે જો આપણે બ્રિટનમાં ઓમિક્રોના સંક્રમણની ઝડપ જોઈએ અને ભારતની વસતી સાથે તેની તુલના કરીએ તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે દરેક કેસની જિનોમ સિકન્વસિંગ ન થઈ શકે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એવું પણ જણાવ્યું કે કોરોનાના વધી રહેલા કેસ માટે ઓમિક્રોન સંક્રમણ જવાબદાર મનાઈ રહ્યું છે પરંતુ તે અંગે હજુ ઘણી બાબતો સ્પસ્ટ બની નથી તેની પર સંશોધન ચાલી રહ્યું છે અને તમામ ઘટનાક્રમ પર સરકારની નજર છે. તેમણે કહ્યું કે એવું કહેવાઈ રહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ હળવું સંક્રમણ ફેલાવે છે.
ADVERTISEMENT
.jpg)
ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાયું ગંભીર સંક્રમણ
ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં રોજના 85,000 થી ઉપર કેસ આવી રહ્યાં છે. તે ઉપરાંત ત્યાં ઓમિક્રોનથી દુનિયાનું પહેલું મોત પણ થઈ ચૂક્યુ છે.
ADVERTISEMENT
વીકે પોલે કહ્યું કે દરેક સેમ્પલનું જિનોમ સિકવન્સિંગ કરવું શક્ય નથી
વીકે પોલે કહ્યું કે દરેક સેમ્પલનું જિનોમ સિકવન્સિંગ કરવું શક્ય નથી. જિનોમ સિકવન્સિંગ કોઈ નિદાનનું સાધન નહીં પણ તકેદારી અને મહામારી આકલનનું ટૂલ છે. આપણે ખાતરી આપી શકીએ કે પર્યાપ્ત અને પદ્ધતિસર સેમ્પલિંગ હાથ ધરાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.