બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 PM, 27 June 2026
ટીવી સુપરસ્ટાર તરીકે જાણીતા ગૌરવ ખન્નાના અંગત જીવન અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની પત્ની અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ રિયાલિટી શો લોકઅપ સીઝન 2 માં ખુલાસો કર્યો કે તે અને ગૌરવ છૂટાછેડા લઈ રહ્યા છે. તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે, એક હકીકત જે તેમણે લોકોથી છુપાવી રાખી છે.
ADVERTISEMENT
ગૌરવ અને આકાંક્ષા શા માટે તલાક લઈ રહ્યા છે?
રિતેશ દેશમુખ અને ફરાહ ખાને શોમાં એક રહસ્ય જાહેર કરવાનું કામ આકાંક્ષા ચમોલાને સોંપ્યું. પહેલા જ એપિસોડમાં અભિનેત્રીએ પુષ્ટિ કરી કે ગૌરવ સાથેનો તેનો સંબંધ સમાપ્ત થઈ રહ્યો છે. આકાંક્ષાએ કહ્યું, "ગૌરવ અને હું છૂટાછેડા લઈ રહ્યા છીએ. અમે એક વર્ષથી અલગ રહીએ છીએ."
ADVERTISEMENT
ADVERTISEMENT
"અમે આ વાત પબ્લીકમાં જાહેર કરી નહોતી, પણ હવે તે બહાર આવી ગયું છે. તો, આ મારું સીક્રેટ છે. આ પરસ્પર નિર્ણય છે. અમે છેલ્લા એક વર્ષથી તેના વિશે વાત કરી રહ્યા છીએ. જોકે અમારી વચ્ચે પરિસ્થિતિ ખરાબ નથી. અમે હજુ પણ એકબીજા સાથે વાત કરીએ છીએ. અમને બંનેને લાગે છે કે અમે પાર્ટનર તરીકે એક-બીજા સાથે યોગ્ય નથી. સત્ય એ છે કે અમે બંને એક અલગ ભવિષ્ય ઇચ્છીએ છીએ, અને દુઃખની વાત એ છે કે અમે તે ભવિષ્યમાં સાથે નથી. અમારી વચ્ચે કોઈ નારાજગી નથી."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મનોરંજન / 'Welcome To The Jungle' Film Review: મગજ બંધ કરીને જુઓ તો જ આવશે મજા!
ગૌરવ ખન્ના અને આકાંક્ષા ઘણા સમયથી તેમના બાળકને લઇ ચર્ચામાં છે. ગૌરવ પિતા બનવા માંગે છે, પરંતુ આકાંક્ષા તેના માટે તૈયાર નથી. તો શું આ નિર્ણય બાળકના કારણે લેવામાં આવ્યો ? તે ફક્ત આ દંપતી જ જાણે છે. ગૌરવ અને આકાંક્ષાના લગ્ન 2016 માં થયા હતા, પરંતુ હવે તેમના લગ્ન 10 વર્ષ પછી તુટી રહ્યા છે. આ સમાચાર તેમના ચાહકો માટે મોટો આઘાત હોઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.