બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વૈભવ સૂર્યવંશીને તક કેમ ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે બતાવ્યું કારણ

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વૈભવ સૂર્યવંશીને તક કેમ ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે બતાવ્યું કારણ

Ajitsinh Jadeja

Last Updated: 07:52 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: આયર્લેન્ડ સામેની પહેલી ટી20 માટે વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

Team India: આયર્લેન્ડ સામેની પહેલી ટી20 માટે વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ટોસ દરમિયાન કેપ્ટન શ્રેયસ ઐયરે આ નિર્ણયનું કારણ સમજાવતા કહ્યું કે વૈભવ ખૂબ પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ ટીમ હાલમાં અનુભવી ખેલાડીઓ પર ભરોસો રાખી રહી છે.

લાખો ભારતીય ચાહકો આશા રાખી રહ્યા હતા કે 15 વર્ષીય યુવા વૈભવ સૂર્યવંશી શુક્રવારે (26 જૂન) આયર્લેન્ડ સામેની ટી20 માં આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂં કરશે. જોકે તેનું નામ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યું ન હતું, એટલે કે વૈભવના ડેબ્યૂની રાહ થોડી લાંબી થઈ ગઈ છે. ટોસ દરમિયાન કેપ્ટન શ્રેયસ ઐયરે પણ આ નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું.

બેલફાસ્ટમાં ટોસ જીત્યા પછી શ્રેયસ ઐયરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે ટીમના મોટાભાગના ખેલાડીઓ આ મેદાન પર અને આ પરિસ્થિતિમાં પહેલી વાર રમી રહ્યા હતા, તેથી પહેલા બોલિંગ કરવી એ શ્રેષ્ઠ વિકલ્પ લાગતો હતો. વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ વિશે પૂછવામાં આવતા શ્રેયસ ઐયરે યુવા બેટ્સમેનની પ્રશંસા કરી, પણ સ્પષ્ટ કર્યું કે તેણે હમણાં રાહ જોવી પડશે.

શ્રેયસ ઐયરે કહ્યું, "દુર્ભાગ્યવશ, વૈભવ આ મેચમાં રમી રહ્યો નથી. તે એક ગન ખેલાડી છે, પરંતુ અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે જેમણે તાજેતરના સમયમાં ભારત માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. અમે એવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂકીએ છીએ જેમણે સમગ્ર સિઝન દરમિયાન ઉત્તમ ક્રિકેટ રમી છે. યોગ્ય સમય આવશે ત્યારે વૈભવને ચોક્કસપણે તક મળશે."

કેપ્ટન શ્રેયસ ઐયરના નિવેદનથી સ્પષ્ટ થયું કે ટીમ મેનેજમેન્ટ હાલમાં અનુભવને પ્રાથમિકતા આપી રહ્યું છે, જ્યારે વૈભવ સૂર્યવંશીને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્રેયસે એમ પણ કહ્યું કે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને તેમની રમતમાં વિશ્વાસ રાખવા અને નિર્ભયતાથી રમવાની સૂચના આપી છે.

VTV ADD

વૈભવ સૂર્યવંશીને પહેલી મેચમાં તક મળી ન હતી, પરંતુ કેપ્ટનના નિવેદનથી ખ્યાલ આવે છે કે ટીમ મેનેજમેન્ટ તેને ભવિષ્ય માટે એક મોટો ખેલાડી માને છે. આવી સ્થિતિમાં હવે ચાહકોની નજર શ્રેણીની આગામી મેચ પર છે, જ્યાં આ 15 વર્ષનો યુવા બેટ્સમેન આખરે ટીમ ઈન્ડિયાની જર્સીમાં મેદાનમાં ઉતરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer Vaibhav Suryavanshi Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ