ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રામ મંદિરને દાનમાં આપેલા ચાંદીના હાર, ઇંટો ક્યાં છે? SIT તપાસમાં ખુલાસો

અયોધ્યા / રામ મંદિરને દાનમાં આપેલા ચાંદીના હાર, ઇંટો ક્યાં છે? SIT તપાસમાં ખુલાસો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:16 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Donation Row: એસઆઇટી રિપોર્ટમાં જણાવાયું છે કે ટિન્નૂ યાદવ પાસે પરવાનગી વિના હુંડિયોની ચાવીઓ હતી. ટ્રસ્ટને ઘણા સમય પહેલા ચોરીનો અંદેશો આવી ગયો હતો.

ADVERTISEMENT

અયોધ્યા રામ મંદિર દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે દાનમાં આપેલા ચાંદીના હાર, માળા અને ચરણ પાદુકા ગુમ હતા. જોકે એસઆઇટી તપાસમાં હવે મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ એક હિન્દી ન્યૂઝ ચેલને જણાવ્યું હતું કે મુંબઈના ઉદ્યોગપતિ અનિલ વિશ્વકર્માએ ચાંદીના હાર અને ચરણ પાદુકાઓનું દાન કર્યું હતું. એસઆઇટીને જાણવા મળ્યું છે કે આ ભેટો ટ્રસ્ટની કસ્ટડીમાં સુરક્ષિત છે.

વિશ્વ સિંધી સેવા સમાજના પ્રમુખ રાજુ માંડવાનીએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે 2021 માં 25-25 કિલોની ચાંદીની આઠ ઇટો જેનું વજન 200 કિલો હતુ, દાનમાં આપવામાં આવી હતી, પરંતુ કોઈ રસીદ મળી ન હતી. આને આધારે ઇંટોની ચોરી અંગે સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પરના દાવા ખોટા સાબિત થયા!

ટ્રસ્ટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને એવી વસ્તુઓની યાદી આપી હતી જે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓને ખોટા સાબિત કરે છે. રાજુ માંડવાની દ્વારા દાનમાં આપવામાં આવેલી ઇંટો સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પીગાળવા માટે મોકલવામાં આવી હતી. આ યાદી પર ટ્રસ્ટ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સહી કરાયેલ છે.

આ યાદીના પાના નંબર 1ના ક્રમાંક 96 પર બોક્સ સંખ્યા 10 થી 17 માં ચાંદીની ઇંટો પીગળવાનો ઉલ્લેખ છે. ચાંદીની ઇંટો ટ્રસ્ટની કસ્ટડીમાં હતી અને પીગળી ગઈ હતી. ઇંટ ચોરીના દાવા ખોટા છે.

VTV ADD

આ પણ વાંચોઃ Venezuela / વેનેઝુએલાની મદદ માટે ભારતે ચલાવ્યું ઑપરેશન 'અમિસ્તાદ', રાહત સામગ્રી સહિત આ વસ્તુઓ મોકલી

ટીનુ પાસે ઓર્ડર વિના હુંડિયોની ચાવીઓ હતી

SIT રિપોર્ટમાં જણાવાયું છે કે ટીનુ પાસે ઓર્ડર વિના હુંડિયોની ચાવીઓ હતી. દરમિયાન ટ્રસ્ટને ઘણા સમય પહેલા ચોરીની શંકા હતી. સપ્ટેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025 માં ટ્રસ્ટ અને બેંક વચ્ચેની બેઠકોમાં એસઓપી બનાવવામાં આવી હતી. સ્ટેટ બેંકનું પ્રતિનિધિત્વ કરતા ગોવિંદ મિશ્રા અને ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા અનિલ મિશ્રાએ રેકોર્ડ પર સહી કરી હતી. એસઆઇટી રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ગણતરી પ્રક્રિયામાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું, અને ઇરાદાપૂર્વકની બેદરકારી જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya News UP News Ram Temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ