બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં રોષ, ભાવનગરમાં આગેવાનોની બેઠક યોજાઈ
Last Updated: 08:41 PM, 26 June 2026
સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સૌરાષ્ટ્રભરના કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક ભાવનગરના વેગડ ફાર્મહાઉસ ખાતે યોજાઈ હતી.
ADVERTISEMENT

આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી
ADVERTISEMENT
બેઠકમાં સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનની મજબૂતી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના હિત અને એકતા માટે તમામ વર્ગોને સાથે લઈને આગળ વધવાની જરૂર છે.

ADVERTISEMENT
જાગૃતિ લાવવા અભિયાન ચલાવાશે
બેઠકમાં આગામી દિવસોમાં કોળી સમાજના હિતમાં વિવિધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સ્તરે સમાજ જાગૃતિ અભિયાન ચલાવી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર બદનામીના આક્ષેપ બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રે આપઘાતનો પ્રયાસ, પત્ની સહિત ત્રણ સામે ફરિયાદ
ADVERTISEMENT
સમાજના પ્રશ્નો અને હકો માટે એકજૂથ બનીને લડત લડવાનો સંકલ્પ પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આગેવાનોએ સમાજની એકતા જાળવી રાખવા અને વિકાસલક્ષી મુદ્દાઓ પર સંગઠિત પ્રયાસો કરવાની અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.