બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજુલાના કોવાયામાં યુવકને ફાડી ખાનારા 4 સિંહોને મળી સજા, સક્કરબાગ ઝૂમાં આજીવન કેદ રખાશે

ગુજરાત / રાજુલાના કોવાયામાં યુવકને ફાડી ખાનારા 4 સિંહોને મળી સજા, સક્કરબાગ ઝૂમાં આજીવન કેદ રખાશે

Pravin Joshi

Last Updated: 06:37 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના રાજુલાના કોવાયા ગામે ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવકને ફાડી ખાનાર ૪ સિંહો (૨ પાઠડા અને ૨ પુખ્ત) ના સાસણ લેબના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં માનવભક્ષણની પુષ્ટિ થઈ છે.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી વન્યજીવ સૃષ્ટિ અને માનવ વસાહત વચ્ચેના સંઘર્ષની એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના કોવાયા ગામની સીમમાં થોડા દિવસો અગાઉ એક યુવકને મોતને ઘાટ ઉતારનાર ચાર સિંહો સામે વન વિભાગે કડક અને ઐતિહાસિક પગલાં લીધાં છે. સાસણ ગીરની હાઈટેક લેબોરેટરીના સાયન્ટિફિક રિપોર્ટમાં આ ચારેય વનરાજો જ 'માનવભક્ષી' બન્યા હોવાની સત્તાવાર અને વૈજ્ઞાનિક પુષ્ટિ થયા બાદ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ સિંહોને આજીવન જૂનાગઢના પ્રસિદ્ધ સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટરમાં કેદ રાખવાનો આકરો નિર્ણય કર્યો છે.

sasan-gir-lion

રાત્રિના અંધકારમાં યુવક પર તૂટી પડ્યું હતું સિંહોનું ટોળું

આ ઘટનાની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલાં મૂળ ઉત્તરાખંડના વતની અને કોવાયા ગામ નજીક રહેતા પ્રકાશચંદ્ર નામના એક પરપ્રાંતિય યુવક પર રાત્રિના સમયે સિંહોના એક ટોળાએ ઓચિંતો હુમલો કર્યો હતો. ક્ષણભરમાં જ હિંસક બનેલા સિંહોએ યુવકને ફાડી ખાધો હતો અને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. વન્યજીવના ઇતિહાસમાં સિંહો દ્વારા માનવ શિકારની આ ઘટના વાયુવેગે પ્રસરતા જ સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં રાજુલા રેન્જ વન વિભાગની ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને આધુનિક લોકેશન ટ્રેકિંગ સિસ્ટમની મદદથી ઓપરેશન હાથ ધરીને ઘટનાસ્થળની આસપાસથી ૨ પાઠડા (યુવાન સિંહ) અને ૨ પુખ્ત વયના સિંહો સહિત કુલ ૪ સિંહોને ભારે જહેમત બાદ પાંજરે પૂર્યા હતા.

સાસણ ગીર લેબોરેટરીના રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો

પાંજરે પૂરેલા ચારેય સિંહો ખરેખર દોષિત છે કે નહીં તે જાણવા માટે વન વિભાગે સાયન્ટિફિક પદ્ધતિ અપનાવી હતી. વન્યજીવ ચિકિત્સકો દ્વારા ચારેય સિંહોના મળ તેમજ અન્ય જરૂરી બાયોલોજીકલ સેમ્પલ મેળવીને તાત્કાલિક તપાસ અર્થે સાસણ ગીરની સ્પેશિયલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ફોરેન્સિક રિપોર્ટના પરિણામો આવતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટમાં સ્પષ્ટપણે સાબિત થયું છે કે મૃતક યુવક પ્રકાશચંદ્રના શરીરના માંસ અને હાડકાના અવશેષો આ સિંહોના સેમ્પલમાંથી મળી આવ્યા છે. આ સત્તાવાર પુષ્ટિ બાદ જ ચારેય સિંહોને કાયદાકીય રીતે માનવભક્ષી જાહેર કરવામાં આવ્યા છે.

હવે ક્યારેય ખુલ્લા જંગલમાં નહીં મળી શકે મુક્તિ

વન્યજીવ સંરક્ષણના કાયદા અને નિયમો અનુસાર, જે વન્યજીવ એકવાર માનવ લોહી કે માસનો સ્વાદ ચાખી લે છે, તેનું વર્તન બદલાઈ જાય છે અને તે ભવિષ્ય માટે અત્યંત જોખમી બને છે. આવા હિંસક પ્રાણીઓને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસાહતની આસપાસ મુક્ત કરી શકાતા નથી. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ચારેય સિંહોને હવે કાયમી ધોરણે જૂનાગઢના સક્કરબાગ ઝૂના આધુનિક એનિમલ કેર સેન્ટરમાં જ નજરકેદ રાખવામાં આવશે.

આ પણ વાંચો : ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

ભવિષ્યમાં વર્ષો પછી જો તેમના હિંસક વર્તનમાં કોઈ સકારાત્મક અને મોટો સુધારો જણાય, અને વાઇલ્ડલાઇફ નિષ્ણાતોની વિશેષ કમિટી લીલી ઝંડી આપે, તો જ તેમને કોઈ બંધિયાર સફારી પાર્ક કે નેશનલ પાર્કમાં શિફ્ટ કરવા અંગે વિચારણા થઈ શકે છે. પરંતુ, ગીરના ખુલ્લા જંગલો કે રેવન્યુ વિસ્તારોના દરવાજા આ સિંહો માટે હંમેશા માટે બંધ થઈ ગયા છે. વન વિભાગે આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજુલા અને કોવાયા પંથકમાં વનકર્મીઓનું નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AmreliNews ManEaterLions SakkarbaugZoo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ