બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:22 PM, 27 June 2026
1/6
લોકો પોતાના ઘરની છત પર છોડવા ઉગાડે છે. જેમાં સુખ-સમૃદ્ધિ માટે આપણે બધા આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવીએ છીએ પરંતુ સવાલ એ થાય છે કે તુલસીને ધાબા પર રાખવી એ પાપ કે વાસ્તુ દોષની કેટેગરીમાં આવે છે? વાસ્તુ એક્સપર્ટના મતે તુલસીને ધાબા પર રાખવાની મનાઈ નથી પરંતુ તેને રાખવાની રીત અને સ્થળ નક્કી કરે છે કે તમને પુણ્ય મળશે કે પછી તમે અજાણતા કોઈ મોટી મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો. જો તમે ધાબા પર તુલસી રાખો છો તો ભૂલથી પણ આ 3 ભૂલો ન કરો.
2/6
વાસ્તુમાં દિશાઓનું ઘણું મહત્વ છે. તુલસીને છત પર ગમે ત્યાં રાખવાથી વાસ્તુ દોષ લાગે છે. તુલસી હંમેશા ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. જો તમે તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખી હોય તો તે તમારી આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભી કરી શકે છે. ખોટી દિશામાં લગાવવામાં આવેલ છોડ ઘરમાં પરેશાનીઓ અને તણાવ વધારે છે.
3/6
તુલસીને લક્ષ્મી માતાનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. જેમાં ધૂળ, સૂકા પાંદડા કે પક્ષીઓની ડ્રોપિંગ્સ ઘણીવાર છત પર એકઠા થાય છે. જો તમે તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા ન રાખો તો તે ઘરની સકારાત્મક ઉર્જાને સીધી નકારાત્મકતામાં ફેરવે છે. જો ધાબા પર રાખેલો છોડ ગંદો હોય તો તે ઘરમાં ગરીબી અને અશાંતિનુ વાતાવરણ લાવે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં તુલસીનો વાસ હોય છે.
4/6
ધાબા પર છોડ રાખવો અને તેને ત્યાં છોડી દેવો એ સૌથી મોટો ગુનો છે. ઘણા લોકો ટેરેસ પર તુલસી વાવે છે પરંતુ તેને નિયમિત પાણી આપવાનું કે દીવો પ્રગટાવવાનું ભૂલી જાય છે. છત પર તુલસી સુકાઈ જવાથી ઘરના લોકોના સ્વાસ્થ્ય અને સંપત્તિ પર સીધી અસર થાય છે. જો તમે દરરોજ ટેરેસ પર જઈને માવજત ન કરી શકો તો તુલસીને ટેરેસ પર ન રાખો
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ