બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અંબાણી પરિવારની અતૂટ આસ્થા, તિરુપતિ બાલાજી સામે શીશ ઝુકાવ્યું, વેંકટેશ્વર સ્વામીને વાળ અર્પણ કર્યા

નેશનલ / અંબાણી પરિવારની અતૂટ આસ્થા, તિરુપતિ બાલાજી સામે શીશ ઝુકાવ્યું, વેંકટેશ્વર સ્વામીને વાળ અર્પણ કર્યા

Ajitsinh Jadeja

Last Updated: 03:49 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરમાં પરંપરા અનુસાર મુંડન કરાવ્યું. જાણો આની પાછળની ધાર્મિક માન્યતાઓ અને આ ચર્ચામાં છે આ યાત્રા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી ફરી એકવાર તેમની ધાર્મિક શ્રદ્ધાને લઇ ચર્ચામાં છે. તેમણે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યા અને સદીઓ જૂની પરંપરાને અનુસરીને પોતાનું માથું મુંડન કરાવ્યું. આના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અહીં તમે બાલાજી મંદિરમાં વાળ દાનની પરંપરા વિશે વિગતવાર જાણી શકો છો.

મુંડનની પરંપરા શું છે?

દર વર્ષે લાખો ભક્તો તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીને તેમના વાળ દાન કરે છે. આને કેશ દાન પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે આમ કરવાથી વ્યક્તિનો અહંકાર ત્યાગ થાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણ દર્શાવે છે. અનંત અંબાણીએ આ પરંપરાનું પાલન કર્યું અને મંદિર પરિસરમાં પોતાનું માથું મુંડન કરાવ્યું.

અંબાણી પરિવાર શ્રદ્ધા સાથે જોડાયેલ

અંબાણી પરિવાર લાંબા સમયથી દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી અનેક વખત અયોધ્યા રામ મંદિર, દ્વારકા, તિરુપતિ બાલાજી, દ્વારકાધીશ, બદ્રીનાથ, કેદારનાથ અને અન્ય ઘણા મંદિરોમાં પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા છે.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી

તિરુપતિ બાલાજી મંદિર શા માટે ખાસ છે?

આંધ્રપ્રદેશમાં તિરુમાલા ટેકરીઓ પર સ્થિત તિરુપતિ બાલાજી મંદિર દેશના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ શ્રદ્ધાળુઓ વાળુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તેને કલયુગ વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો અહીં આવે છે. મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા પણ પ્રાચીન છે અને તેને સૌથી મોટા ધાર્મિક અનુષ્ઠાનમાંથી એક માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Tirupati Balaji Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ