બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાખણીના વાસણા સુજલામ-સુફલામ કેનાલ પર ખેડૂતોનું અનોખું વિરોધ પ્રદર્શન
Last Updated: 04:56 PM, 28 June 2026
વાવ–થરાદ જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો આજે મોટી સંખ્યામાં સુજલામ સુફલામ કેનાલ પર એકત્ર થયા હતા. વરસાદ ખેંચાતા અને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતો ઢોલ વગાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ચીમકી આપી છે કે, જો માંગ સંતોષવામાં નહીં આવે તો ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે હજારો ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ADVERTISEMENT

કેનાલ પર ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા
ADVERTISEMENT
વાવ–થરાદ જિલ્લાના લાખણીના વાસણા નજીક આવેલા સુજલામ સુફલામ કેનાલ પર ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવતા ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે ચોમાસાની ખેતી મુશ્કેલીમાં મુકાઈ છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ પાક બચી શકે.
ADVERTISEMENT
ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની ભીતિ
ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ બાજરી, મગફળી અને ઘાસચારા જેવા પાકના વાવેતરનો મહત્વનો સમય ચાલી રહ્યો છે. પરંતુ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી વાવેતર અટકી રહ્યું છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. ખેડૂતો દ્વારા ધરણા કાર્યક્રમ યોજી તાત્કાલિક પૂરતું પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી.ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ચાંગા પમ્પિંગ સ્ટેશન પર હજારો ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વળાંક, સરકાર ચર્ચા માટે તૈયાર, ખેડૂતોને મળ્યું આમંત્રણ
ADVERTISEMENT
સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માગ
હાલ ખેડૂતોની મુખ્ય માંગ એક જ છે સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી ચોમાસાની ખેતી બચાવી શકાય. હવે સરકાર અને સિંચાઈ વિભાગ ખેડૂતોની આ માંગ પર કેટલા ઝડપથી નિર્ણય લે છે, તેના પર સમગ્ર પંથકના ખેડૂતોની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.